અરવલ્લીના મેઘરજમાં ૭૦ વીઘાનું તળાવ ભરવા ખેડૂતોનું આંદોલન; વાત્રક નદીનું પાણી આપવા માંગ
ધ ગ્રેટ વર્લ્ડ, અરવલ્લી ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા કંભરોડા ગામના ખેડૂતોએ પોતાની ખેતી અને પશુપાલનને બચાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગામમાં આવેલું આશરે ૭૦ વીઘાનું વિશાળ ઐતિહાસિક તળાવ લાંબા સમયથી સુકુંભઠ્ઠ પડ્યું છે. સરકાર દ્વારા આસપાસના વિસ્તારો માટે જાહેર કરાયેલી જળ સંચય યોજનાઓમાંથી આ મોટા તળાવને અકળ કારણોસર બાકાત રાખવામાં…
