Headlines

પાલિતાણાના સતુઆબાબા વિદ્યાસંકુલમાં ભવ્ય નેત્ર નિદાન શિબિર યોજાઈ: ૨૨૭ દર્દીઓની તપાસ

મુકેશ પંડિત, પાલીતાણા ​પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું…

Read More

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા…

Read More

ગ્રીન એનર્જીમાં મહાવિસ્ફોટ: પ્રદૂષણ રોકવા વૈશ્વિક મહાસત્તાઓએ લીધો ઐતિહાસિક નિર્ણય

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર, ૨ જૂન: વિશ્વમાં સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ, અસાધારણ ઋતુ પરિવર્તન અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર જોખમો સામે લડવા માટે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત દૂરોગામી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાના અગ્રણી ઔદ્યોગિક અને વિકાસશીલ દેશોની તાજેતરમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય મહાસભામાં પૃથ્વીના વધતા તાપમાનને નિયંત્રિત કરવા માટે એકસૂત્રે સહમતિ…

Read More

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ માનવતા સભર પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કામગીરી અર્થે આવનારા અરજદારો તેમજ કર્મચારીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ…

Read More

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસેનને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હરેશ જોષી – મહુવા પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.પૃથ્વી પરના ઇન્સાન માટે…

Read More

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો નવો રેકોર્ડ: ઉનાળુ વેકેશનમાં ભારે ધસારો

ધ ગ્રેટ વર્લ્ડ, કેવડિયા. ૨૫ મે ૨૦૨૬ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ચાલુ વર્ષના ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં જ દેશ અને વિદેશમાંથી આવેલા પ્રવાસીઓની સંખ્યાએ જૂના તમામ રેકોર્ડ…

Read More

પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં રાજ્યભરના ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 17મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વ અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી

– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા

શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે થયેલું આયોજન પ્રયાગરાજ સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે…

Read More