Headlines

પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

સતત એક મહિના સુધી માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોરબંદર પોલીસ અને જેસીઆઈ…

Read More

દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.        દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ…

Read More

ભારતીય રેલવેની નવા વર્ષની રાષ્ટ્રને ભેટ: ગુવાહાટી અને હાવડા વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે

દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં જાહેરાત કરતાં નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં 11 થ્રી-ટાયર એસી કોચ, 4 ટુ-ટાયર એસી કોચ અને 1 ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ સુલય ત્રિપાઠી, નવી દિલ્હી રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More

નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ – નારન બારૈયા : ધીસ ઇઝ ધેટ

ધીસ ઇઝ ધેટ – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….  નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો  વગર પસાર થતું…

Read More

મહેસાણા જિલ્લાનું કડી આપશે શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક – ” સફળતાની સફરે” – 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલનો અનોખો અધ્યાય

હરેશ જોષી, મહેસાણાઆઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક…

Read More

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે.         આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…

Read More

ભાવનગરમાં સ્વ.પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ તિથિ નિમિતે મેડિકલ કેમ્પ ચશ્મા વિતરણ,સહિત નો કેમ્પ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો.રેડક્રોસ…

Read More