Sunday June 22, 2025

ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫       ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.       આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ […]

દ્વારકામાં પુત્રના જન્મદિવસે ડો. સાગર કાનાણી દ્વારા વિના મૂલ્યે માઇનોર ઓપરેશનનો મેગા કેમ્પ: વૃજ હોસ્પિટલમાં થશે અનુકરણીય ઉજવણી

કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫       દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં […]

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ […]

ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી

કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી. હરેશ પરમાર, ભાવનગર વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા

શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે થયેલું આયોજન પ્રયાગરાજ સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે […]

ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા […]

ભાવનગરમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી

સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના […]

ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યું: મૂકેશ પંડિત

લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં મૂકેશ પંડિતે સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો ઈશ્વરિયા શનિવાર તા.૮-૨-૨૦૨૫ સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા […]

સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠા ત્રિવેદીએ મેળવી Ph.Dની પદવી

મૂકેશ પંડિત, ભાવનગર, તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫ નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી. પાલિતાણા, ભાવનગરસ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ મેળવી Ph.Dની […]

સલાયામાં યુવાન ઉપર જીવલેણ હુમલા કેસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને 10 વર્ષની કેદ : “આપ”ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયા સેશન્સ કોર્ટ

સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ “આપ”ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં […]

Back to Top