Headlines

પોરબંદરમાં આર્ટ ગેલેરીના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય ચિત્રકલા શિબિરનો પ્રારંભ

​મુંબઈના કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા પોર્ટેઇટ પેઈન્ટિંગનું જીવંત નિદર્શન અને માર્ગદર્શન અપાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​કલા નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં ચિત્રકલાના ક્ષેત્રે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અવિરત થતું રહે છે. આજે ૧૫મી મેના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની…

Read More

લંગાળા ગામે રંઘોળી નદી પર 1.60 કરોડના ખર્ચે નવા આડબંધનું ભૂમિપૂજન સંપન્ન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રંઘોળી નદી પર અંદાજિત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવા આડબંધનું ભૂમિપૂજન ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યના પ્રારંભ પ્રસંગે પેથાભાઈ આહીર, ઘનશ્યામભાઈ ખૂંટ, પ્રતાપ આહીર, રોહિતભાઈ બગદરીયા, અશોકભાઈ આહીર, રામભાઈ સાંગા, સિદ્ધરાજસિંહ ગોહીલ અને અધિકારી ગજ્જર સહિતના અગ્રણીઓ,…

Read More

એક સપ્તાહ સુધી આરોગ્ય સેવા કાર્ય સાથે ભાવનગર રેડક્રોસ દ્વારા રેડક્રોસ દિવસ ઉજવાયો

તા.8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જનસેવા કાર્યક્રમો યોજાયા રક્તદાન, રમત ગમત સ્પર્ધા, મેડિકલ કેમ્પ, માનવ સાંકળ, થેલેસીમિયા પરીક્ષણ,ધ્વજ વંદન, છાશ વિતરણ, સહિત ના કાર્યક્રમો યોજાયા૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમ અને જનસેવા સાથે રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરવા માં આવી હતી.માનવતામાં એકતા વિષય ને ધ્યાન…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન 2026 અંતર્ગત ભાવનગર મંડળમાં પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે દ્વારા 15 મે થી 5 જૂન 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના પ્રારંભ અવસરે શુક્રવાર, તા. 15 મે 2026ના રોજ ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરીના પરિસરમાં પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે શ્રી ઋત્વિક શર્મા, અપર મંડલ રેલ પ્રબંધકે મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ,…

Read More

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમ યોજાયો

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની પ્રેરણાથી શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન તેમજ સહાયક કાર્મિક અધિકારી સંતોષ વર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંગીત, નૃત્ય, ભાષણ, મ્યુઝિકલ ચેર સહિત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક સ્પર્ધાઓનું…

Read More

ટીમાણાની ગણેશ શાળામાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન

હરેશ જોષી ટીમાણા ​ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આગામી સમયમાં માનવસેવાનું ઉમદા કાર્ય થવા જઈ રહ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગણેશ શાળા ટીમાણા ખાતે ૧૧ એપ્રિલ ૨૦૨૬ ને રવિવારના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના વિવિધ રોગોથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરવામાં આવશે. ખાસ…

Read More

નિલમબાગ પેલેસના પ્રાંગણમાં કથાનગર કાર્યક્રમ યોજાયો: ભાવનગરની શૌર્યગાથાઓથી ઈતિહાસ જીવંત થયો

ધ‌ ગ્રેટ વાલ્ડ,ભાવનગર ગોહિલવાડની શાન અને સંસ્કારી નગરી ગણાતા ભાવનગરના રજવાડી વારસાના પ્રતીક સમાન નિલમબાગ પેલેસ ખાતે વીતેલી શનિવારની સાંજ ઈતિહાસના રંગે રંગાઈ હતી. હેરીટેજ હીરો ક્લબ, મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત “કથાનગર” કાર્યક્રમે ભાવેણાના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર લોકમાનસમાં જીવંત કર્યો હતો. આ અનોખી વાર્તામય સાંજનું મુખ્ય પ્રયોજન ભાવનગરના સ્થાપનાકાળથી…

Read More

નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અને લોકપ્રિય યુવા કોળી નેતા લક્ષ્મણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ​ભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આમંત્રણ અને આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય…

Read More

​ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

​હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ​પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…

Read More

થળસરના ધમભા 60 કોથળી સાથે ઝડપાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન થળસર ગામના ગેટ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા ગોહિલ પાસેથી દેશી દારૂની 60 કોથળીઓ (15 લીટર, કિંમત ₹3000/-) ભરેલો થેલો મળી આવ્યો હતો. પરમીટ વગર દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી…

Read More