Headlines

ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તથા સ્ટાફ  જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ  પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો…

Read More

ભાવનગરના પાલીતાણા માં ગોઝારો અકસ્માત: બાઈક પર જઈ રહેલ 3 કુટુંબિક ભાઈઓના ડમ્પર સાથે બાઈક અથડાતા કરૂણ મોત

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાઈક રોડ ઉપર ઇરાણી, પડેલા ડમ્પર સાથે અથડાતા બાઈક પર જતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે.આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા થી થોરાળી ગામ તરફ પોતાનું બાઈક લઈ જઈ રહેલા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાડા વિસ્તાર નજીક રોડ…

Read More

શહેર ભાજપ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા

સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ‘શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટની છેલ્લા બોલ સુધીની રસાકસી ભરી ફાઇનલમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા બની હતી. ૧૦ એપ્રિલ ના રોજ વિશ્વમાં પ્રથમ…

Read More

ભાવનગર ખાતે  વિશ્વ કક્ષાના પ્રાયોગિક મીઠાના કાર્યસ્થળ નું ઉદ્ઘાટન: સ્થાપના દિવસની ઉજવણી માટે CSMCRI ભાવનગરની DG CSIRની મુલાકાત

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં CSIR ના નેજા હેઠળ કાર્યરત, પ્રતિષ્ઠિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CSMCRI), ભાવનગર, , CSIR ના ડાયરેક્ટર જનરલ (DG-CSIR) અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (DSIR), નવી દિલ્હી, ડૉ. (શ્રીમતી) એન.ને કલૈસેલ્વીની 10 એપ્રિલના રોજ મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે…

Read More

ભાવનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું “સુંદર” આયોજન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન તા. ૧૨.૪.૨૦ર૫ને શનિવારના રોજ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન શ્રી જયંતભાઇ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં. ૨૬૮૬, માતૃઆશિષ, વળીયાનો ખાંચો, ફુલવાડી ચોક પાસે,…

Read More

મોગલધામ ભગુડાનાં 5,000થી વધુ સ્વયંસેવકો, ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા

લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો મૂકેશ પંડિત, ભગુડા શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક માંગલધામ સાથેનાં પાંચ…

Read More

ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના વતન  આકડીયા ગામે થશે

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના ફલક પર ભજન અને સંતવાણી ને પોતાના સુર થી પ્રચલીત કરતા ભજન સમ્રાટ નારાયણ સ્વામી સૌરાષ્ટ્ નું એક ઘરેણું હતા, ગઢડા તાલુકાના આકડીયા ગામે જન્મેલા શક્તિદાન લાંગાવદરા કે જેઓ ભજન નો ભેખ લઈને નીકળી જતા પૂજ્ય નારાયણ સ્વામી તરીકે ઓળખાયા, જે  આજે પોતાના અમર ભજનો,…

Read More

ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર અને વાહનને સળગાવ્યું

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો  હત્યાના પલટાયા બાદ  મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી…

Read More

ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

વિપુલ હિરાણી, ભાવનગર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો .જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને  કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા…

Read More

ભાવનગરમાં ગરમી નો પારો વધીને   42.2 ડિગ્રીએ પહોંચ્યો

  વિપુલ હિરાણી, ભાવનગરભાવનગર શહેર અને જિલ્લામાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આજે મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ  ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે.  ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે…

Read More