Headlines

ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું

– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત –  જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન…

Read More

કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના…

Read More

ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ

– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.        પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ….

Read More

ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.         આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ…

Read More

ખંભાળિયાના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ સેવા કાર્યો

– 98 વર્ષના રઘુવંશી વડીલે કર્યા છે અનેકવિધ અનુદાન – જામ ખંભાળિયા, તા. ૧૧-૪-૨૦૨૫          ખંભાળિયાની જૂની પેઢીના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ વલ્લભદાસ પાબારી કે જેઓ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવે છે, તેઓ અત્યાર સુધી ખૂબ મોટી રકમના અનુદાન આપી ચૂક્યા છે. આવા વડીલ મુળજીભાઈ પાબારી આજે 97…

Read More

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

– દ્વારકામાં 250 જેટલા કલાકારો દ્વારા કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત –  જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે ગુરુવારે દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન…

Read More

રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ

– અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ – કુંજન રાડિયા, જામનગર    હાલાર પંથકના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે તાજેતરમાં રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.      અત્રે ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના…

Read More

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર: ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

 જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        જામનગર સ્થિત વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા અનંત મુકેશભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ…

Read More

દેવભૂમિ દ્વારકાના હર્ષદ ગાંધવી પહોંચેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

– દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ –  – ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીની જાનને વધાવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી –  જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫          માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી…

Read More

દ્વારકાના હાથી ગેઈટ ખાતે શ્રીકૃષ્ણ અને રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

– ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીનો સત્કાર સમારોહ – – પરંપરાગત વિધિથી શ્રીકૃષ્ણ – રુક્મણીજીનું સામૈયું કરાયું –  Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫         માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ આજે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી….

Read More