Sunday July 27, 2025

ખંભાળિયા નજીક 16 સ્ટંટબાજોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫          ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રે વાહન સંદર્ભે ખાસ પેટ્રોલિંગ […]

ખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કાજલબેન મગનભાઈ પરમાર નામના 26 વર્ષના મહિલા કર્મચારી શનિવારે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજા નામના એક આસામીના ઘરના બાકી લાઈટ બિલના રૂ. 6280 તથા તેના ભાઈ ખોડુભા બચુભા જાડેજાની વાડીનું લાઈટ બિલ રૂ. 3,954 બાકી હતું. […]

ક્યા વો શરીફ થા? : ઓખાના ભરણપોષણના ગુનામાં શરીફ ઝીબ્રાઇલ ધોરી યુપીથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫          ઓખા વિસ્તારમાં સ્થાનિક અદાલતમાં ગત વર્ષે આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરી નામના પ્રતાપગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ સામે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના હુકમનું પાલન નહીં કરી અને ભોગ બનનારને ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતા જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.         જેને અનુલક્ષીને ઓખા […]

અવસાન નોંધ જામખંભાળિયા ગણાત્રા

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ ગોકલદાસ ગણાત્રા (બાબુભાઈ કિરણ કોલ્ડ્રિંક્સ વારા)ના ધર્મ પત્ની ગં.સ્વ. જયાબેન (તારાબેન, ઉ.વ. 86) તે અરવિંદભાઈ (જામનગર), અશોકભાઈ (કિરણ કોલ્ડ્રિંક્સ હાઉસ), નીલાબેન સુરેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર), સ્વ. હર્ષિદાબેન અનિલકુમાર કારીયા (રાજકોટ) અને મીનાબેન ભાવિનકુમાર ઘેલાણી (પોરબંદર)ના માતુશ્રી તેમજ નિકેત, અર્જુન અને શ્રુતિ (આફ્રિકા)ના દાદી તા. 23 મી ના રોજ […]

ખંભાળિયામાં પૂ. જલારામ બાપાને રોટલાનો અન્નકૂટ ધરાવાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫        પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.         આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં […]

જલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

– મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા સમૂહ પ્રસાદનું સુચારુ આયોજન – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫        સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વખતની જેમ આ વખતે પણ વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે ગઈકાલે રવિવારે અત્રે વી.ડી. […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 માર્ચના રોજ લોક અદાલત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની […]

રાજ્યના અંદાજપત્રમાં પ્રવાસ, યાત્રાધામ અને વન પર્યાવરણમાં ખાસ જોગવાઈને આવકારતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫        રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે દિવસ પૂર્વે રજુ કરવામાં આવેલા રાજ્યના વિકાસશીલ બજેટમાં રાજ્યમાં પ્રવાસન, યાત્રાધામ તથા વન પર્યાવરણ વિભાગમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને આ વિભાગોના વધુ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે.        વન અને પર્યાવરણ […]

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ […]

ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫            હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ, […]

Back to Top