Headlines

ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ

– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૫        ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી કરવા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતા એક બોલેરો વાહનની ઠોકરે 35 વર્ષીય એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. …

Read More

ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ

વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.  ભાવનગર…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9…

Read More

ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે…

Read More

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલના ખેડુતના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા

હરેશ જોષી, રોયલ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.

Read More

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં…

Read More

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક…

Read More

ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા ગયેલા ઓખાના બે શખ્સો સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫       ઓખામાં માછીમારી કરવા માટે ફિશિંગ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર ફિશીંગ કરવા ગયેલા શકુર અબ્દુલભાઈ શેખ (ઉ.વ. 45) અને સલીમ ફકીરાભાઈ ઉચાણી (ઉ.વ. 40) નામના બે માછીમારોને પોલીસે કનકાઈ જેટી પાસેથી ઝડપી લઈ, આ બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી.      …

Read More

ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ

મૂકેશ પંડિત, ભાવનગર તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ…

Read More

ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી

હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી…

Read More