Headlines

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત આ હતા. તમામ મરુતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના…

Read More

ટીમાણાની ટીમ: ખેલ મહાકુંભ ૩.O અંતર્ગત જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 13 બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું હરેશ જોષી, ટીમાણા ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ…

Read More

પ્રયાગરાજના મહાકુંભમેળાની યાદી: માળા રુપે મહાપ્રસાદી

ઈશ્વરિયા સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( તસવીર કથા : મૂકેશ પંડિત ) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ એવો વિરાટ મેળો, મહાકુંભમેળો… અખાડા અને સાધુ સંતોનો મેળો… આ મેળામાં ગરીબ અને ધનાઢ્ય સૌ કોઈ ઉમટ્યું છે. સંગમ ક્ષેત્રમાં સ્નાન અને અખાડાનાં દર્શન… વળી કોઈ ખરીદી પણ આ મેળામાંથી શું કરવી.? આ સાથે અંહિનું જળ ભરી જવાનું અને પ્રસાદી લઈ જવાની….

Read More

ભાટીયા નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ

કુંજન રાડિયા, કલ્યાણપુર         કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ. 9047 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટીયા – હર્ષદ રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એફ 5835…

Read More

દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાં

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી ” પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા…

Read More

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળ્યો દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી. દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં

સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લીધો લાભ ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને…

Read More

ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા…

Read More

પોરબંદરના દરિયામાં ડૂબી જતા વલસાડ વતની માછીમારનું મોત

પોરબંદરપોરબંદરના દરિયામાં માછીમારી કરવા જતા અકસ્માતે પાણીમાં પડી જતા ડૂબી જતાં એક વલસાડ વતની માછીમારનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મરણ જનાર ભરતભાઈ અરજનભાઈ દુબલા (રહે.અહુ,ડુંગરી ફળીયુ,ઉમરગામ જી.વલસાડ) ગઇ તા.૩/૨/૨૦૨૫ના રોજ પોરબંદરથી ૫૦ નોટીકલ માઇલ દુર દરીયામાં માચ્છીમારી કરવા ગયેલ હોય અને તા.૫/૨/૨૦૨૫ના રોજ ૧૦/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે માચ્છીમારી કરતી વખતે…

Read More

રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ઉપરોક્ત ટ્રેનો વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Read More