Headlines

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક

ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને 180 એકરમાં વિસ્તરેલા ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી બેઠકમાં શિક્ષણ અને સંશોધનને વધુ વેગ મળે એ માટે મહત્વના નિર્ણયો લેવાયા : * વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક તેમના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં…

Read More

ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫     ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ,…

Read More

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫         દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.        આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની…

Read More

પીએમ મોદીનો રોજગાર મેળો: ૫૧,૦૦૦ યુવાનોને સરકારી નોકરીની ભેટ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશના યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મા ‘રાષ્ટ્રીય રોજગાર મેળા’ નું ભવ્ય આયોજન કર્યું હતું. સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને એક સાથે દેશભરના ૫૧,૦૦૦ થી વધુ પસંદગી પામેલા યુવા ઉમેદવારોને સરકારી નોકરીના સત્તાવાર…

Read More

લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી

લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ શ્રી વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ

– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા….

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓપીડી ટાઈમ ટેબલમાં ફેરફાર થતા કર્મચારીઓ અને દર્દીઓમાં રાહતની લાગણી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ…

Read More

મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણીથી રશિયામાં સુરક્ષા વ્યવસ્થા કડક, 217 ડ્રોન તોડી પાડ્યાનો દાવો

ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો રશિયાએ દાવો કર્યો છે કે દેશનાવિવિધ વિસ્તારોમાં યુક્રેન તરફથી મોટા પાયે ડ્રોન હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 217 જેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં મોસ્કો આસપાસના વિસ્તારો ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ પ્રદેશોનો પણ સમાવેશ થાય છે.મોસ્કોમાં…

Read More

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા ​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે….

Read More