શનિ અમાવસ્યા નિમિત્તે હાથલા શનિદેવ ખાતે ભક્તોની ભીડ
– હજારો ભક્તો ઉમટ્યા: ચપ્પલ, બુટનો કર્યો ત્યાગ – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથલા ગામે આવેલા ઐતિહાસિક એવા શનિદેવ મંદિર ખાતે ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચપ્પલ-બુટને ત્યજી દીધા હતા. ભાણવડ નજીક આવેલા…
ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન
– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫ ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫ કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે…
પહેલી ધારની વાત – નારન બારૈયા
લીંબુ: ખાટાં ફળમાં રહેલી મીઠાશ લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમ રસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છે: લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ ઉપર તો પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતો માં જે ભારેમાંથી રોમાંચ કરે…
ઊંચા કોટડા માં પ્રતીક ઉપવાસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લેતા સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ તરેડી
ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા…
ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે. આ…
ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું…
ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ…
જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ
રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…
