Headlines

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More

હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ,…

Read More

બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ

મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ બાવળિયાળી, રવિવાર તા.૨૩-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ઠાકરધામમાં મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થઈ. બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત શ્રી નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન,…

Read More

ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાના સંસ્કૃત શિક્ષિકા ડો. રંજન જોષી નેશનલ કક્ષાએ ભાગ લેશે

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫         ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા…

Read More

શેર બજારમાં પ્રોફિટની લાલચ આપીને દ્વારકા જિલ્લાના આસામી સાથે છેતરપિંડી કરનાર પાટણનો આરોપી ઝડપાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સને દબોચી લીધો હતો.          આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા…

Read More

ભાવનગર શહેર ભાજપે જંગી બહુમતીથી વડવા-બ વોર્ડની પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

શહેર ભાજપ અધ્યક્ષ સહિત સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ. અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેબિનેટ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો હોવાથી…

Read More

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું: દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે 

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામને ગૌશાળા પાસે કાચા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રેક્ટર નીકળતા હોવાની…

Read More

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…

Read More

કેલિફોર્નિયા ખાતે આગમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવાવૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે…

Read More