Headlines

કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ…

Read More

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા…

Read More

ખંભાળિયામાં બુધવારે 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ નિર્માણ અને મહાપૂજનનું ભવ્ય આયોજન

– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ – જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More

પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ

કુંજન રાડિયા, કલ્યાણપુર        કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.  …

Read More

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો…

Read More

મુખ્યમંત્રીના રાજકોટ આગમન વેળાએ જ ટેકનિકલ શિક્ષણ વિભાગની લાલિયાવાડી, ગોટાળાબાઝી ચર્ચામાં

ટેકનિકલ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીન ડિપ્લોમા, જે પોતાને ફિલોસોફીના ડોક્ટર કહેવડાવે છે, તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પોતાની મનમાની અને કોઈક લોબીને ખુશ કરવા માટે અભ્યાસક્રમો તૈયાર કરાવે છે ઓક્ટોબર ૨૦૨૨માં જે સ્થળેથી બદલી પામ્યા હતા તે જ સ્થળે ફરીથી બદલી કરાવી શક્યા, એક વર્ષથી ઓછા સમયમાં ફરી રાજકોટ પરત આવી ગયા છે, પી. પી. કોટક…

Read More

નિલમબાગ પેલેસના પ્રાંગણમાં કથાનગર કાર્યક્રમ યોજાયો: ભાવનગરની શૌર્યગાથાઓથી ઈતિહાસ જીવંત થયો

ધ‌ ગ્રેટ વાલ્ડ,ભાવનગર ગોહિલવાડની શાન અને સંસ્કારી નગરી ગણાતા ભાવનગરના રજવાડી વારસાના પ્રતીક સમાન નિલમબાગ પેલેસ ખાતે વીતેલી શનિવારની સાંજ ઈતિહાસના રંગે રંગાઈ હતી. હેરીટેજ હીરો ક્લબ, મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત “કથાનગર” કાર્યક્રમે ભાવેણાના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર લોકમાનસમાં જીવંત કર્યો હતો. આ અનોખી વાર્તામય સાંજનું મુખ્ય પ્રયોજન ભાવનગરના સ્થાપનાકાળથી…

Read More

ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા…

Read More