Headlines

બ્લોકને કારણે 22 માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે

ભાવનગર રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 1) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન…

Read More

સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતા તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા “નું લોકાર્પણ

હરેશ જોષી, ટીમાણા આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.અને આ શુભેચ્છક તરફથી…

Read More

ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈના જન્મદિવસ નિમિત્તે સલાયામાં મંદિરે ધ્વજારોહણ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આગામી તારીખ 23 ના રોજ જન્મ દિવસ હોય, આ નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે….

Read More

JEWELTHIEF : ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી: આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

– એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે નવ એક વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી…

Read More

WATERMELON PARTY: બળદોએ માણી મીઠા તરબૂચની જયાફત – 

ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ…

Read More

ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ

મૂકેશ પંડિત, બાવળિયાળી શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫ સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં…

Read More

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫            ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્રષ્ટિહીન, આર્થિક રીતે નબળા અને મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સંપૂર્ણ માફ અથવા વિશેષ રાહત આપવામાં આવે છે. આ પહેલ સંગીતપ્રેમી વિદ્યાર્થીઓ માટે અવરોધમુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરશે અને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધ સમગ્ર…

Read More

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ શિક્ષક એવોર્ડ” જાહેર

આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે હરેશ જોષી, ભાવનગરગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી…

Read More

THE HUNDRED HOURS : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: ખંભાળિયા સહિત જિલ્લામાં સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

– અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ – – લાખો રૂપિયાનો દંડ ફટકારાયો –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લુખ્ખાગીરી તેમજ જાહેરમાં ફેલાવતા ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરી અને આવા સામાજિક તત્વો અને ગુનેગારોની યાદી…

Read More

ખંભાળિયા ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

– પોલીસ બેડામાં શોક સાથે નગરજનોમાં આઘાતની લાગણી –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.        આ કરુણ બનાવની…

Read More