Saturday June 21, 2025

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી […]

પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે

આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 5)

પ્રા. પ્રવીણ સલિયા સ્વરયંત્રનો આવાજ સાંભળો ઘોષ અઘોષનો ભેદ અનુભવો હવે એક વાચકમિત્ર પૂછે છે કે ‘હ’ના ઉમેરણથી ઉચ્ચારમાં કોઈ ફેરફાર થાય? એનો ઉત્તર ગયા ભાગમાં આપેલો જ છે કે એમ થવાથી અલ્પપ્રાણ વ્યંજન મહાપ્રાણ થાય. આ મહાપ્રાણ સિવાયના પણ કેટલાંક ભેદો આપણા કક્કમાં છે. એમાનો એક ભેદ છે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન. આ […]

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં […]

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલીયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 4)

વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે : ‘અર્ધસ્વર-અર્ધવ્યંજન જેવું કાંઈ હોય?’ આના ઉત્તર બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. જે ધ્વનિનો ઉચ્ચાર થોડો સ્વર જેવો અને થોડો વ્યંજન જેવો થાય છે એને અર્ધસ્વર કહેવાય. ઉચ્ચારણની સ્વતંત્રતા બાબતે સ્વર જ સંપૂર્ણ છે, વ્યંજનો તો સ્વરના ટેકાથી ઉચ્ચાર પામે ત્યારે પૂર્ણ બને છે. તેથી સામાન્ય રીતે ‘અર્ધવ્યંજન’ જેવી સંજ્ઞા જોવા […]

તત્ત્વભેદ : પ્રો.પ્રવીણ સલીયા : તમને તમને કક્કો આવડતો નથી! (ભાગ ૩)

આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ […]

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી […]

Back to Top