Headlines

પાલીતાણામાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ શાશ્વત તીર્થ સિધ્ધક્ષેત્ર (પાલીતાણા)માં શાશ્વતી ચૈત્ર માસની નવપદની ઓળીની આરાધના-વર્ધમાન તપોનીધી આચાર્ય વિજય અજિતરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં તા.૪-૪થી તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં કરાવવામાં આવશે. ઓળીમાં ૯ દિવસના પોષધ કરનારની વિશીષ્ટ ભકતી કરવામાં આવશે. પગની તકલીફવાળા માટે પાટ-પલંગની પણ સગવડ થઈ શકશે….

Read More

ભાવનગર માં જાણીતા ચિત્રકાર  પ્રા. ડૉ. ઉષા પાઠક ના ચિત્રોનું  પ્રદર્શન ત્રણ દિવસ માટે યોજાયું

ફોટા વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ ભાવનગરના જાણીતા ચિત્રકાર પ્રા. ડો.  ઉષાબહેન પાઠક  ચિત્રોનું પ્રદર્શન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે ત્રણ દિવસ માટે યોજાયું હતું. પ્રદર્શન ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાણીતા ચિત્રકાર રમણીકભાઈ ઝાપડિયા ,ડૉ.  મહેન્દ્રસિંહ પરમાર , નિશિતભાઈ મહેતા, ગીરીશભાઈ શેઠ, રાજુભાઈ પારેખ, ડો. જીજ્ઞાબેન, ડો. ધારાબેન, ડો. ચેતનભાઇ, ડો. ભીમાણી, દેવયાનીબેન…

Read More

ખંભાળિયામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બુધવારે ભરતી મેળો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા બુધવાર તારીખ 9 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.         આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત…

Read More

ખંભાળિયામાં રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત – – શહેરીજનોની સવલતોમાં થશે વધારો –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫     ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના…

Read More

રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે નિધન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૮મહિલા સશક્તિકરણની સૌથી મોટી સંસ્થા બ્રહ્માકુમારીઓના વડા રાજયોગિની દાદી રતનમોહિની, શરૂઆતથી આજ સુધી વૃક્ષને વડનું વૃક્ષ બનવાના સાક્ષી રહ્યા છે.આ પ્રસંગે બ્રહ્મા કુમારી તૃપ્તિ બહેન ઉપક્ષેત્રિય સંચાલિકા ભાવનગર બ્રહ્મા કુમારી ઉષાબેન, બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશી તથા ભાવનગર બ્રહ્મા વત્સો દ્વારા શ્રઘ્ધા સુમન અર્પિત કરેલ. ફેક્ટ ફાઇલ -૧૯૫૬ થી ૧૯૬૯ સુધી મુંબઈમાં સેવા…

Read More

કલ્યાણપુરના નગડીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: પિતા-પુત્ર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા કરસન કરણાભાઈ અમર મેર (ઉ.વ. 64) અને તેના પુત્ર રામદે ઉર્ફે જયેશ કરસન કરણાભાઈ દ્વારા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.         આ દરોડા દરમ્યાન પોલીસે…

Read More

ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર

ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો મૂકેશ પંડિત, ધોલેરા ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે. નાનકડાં ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું ઉદાહરણ એટલે ધોલેરા પાસે આવેલ…

Read More

ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ

ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ….

Read More

ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫     ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ,…

Read More

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના…

Read More