પાલીતાણામાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ શાશ્વત તીર્થ સિધ્ધક્ષેત્ર (પાલીતાણા)માં શાશ્વતી ચૈત્ર માસની નવપદની ઓળીની આરાધના-વર્ધમાન તપોનીધી આચાર્ય વિજય અજિતરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં તા.૪-૪થી તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં કરાવવામાં આવશે. ઓળીમાં ૯ દિવસના પોષધ કરનારની વિશીષ્ટ ભકતી કરવામાં આવશે. પગની તકલીફવાળા માટે પાટ-પલંગની પણ સગવડ થઈ શકશે….
