Headlines

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઇ, કમલાબાગ પોલીસે રોકડ રકમ સાથે ગુનો નોંધ્યો

​પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: સુનિલભાઈ રમણલાલ કાનાણી (બજરીયા ટ્રેડીંગ કું.) વાળાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. ૬૩) તે ડો. હેમાંગીના માતા તથા દિપકભાઈ, વિમલભાઈ, મીનાબેન હસમુખલાલ સોમૈયા (જામનગર) અને ઉષાબેન રાજુભાઈ સામાણી (કરાડ – મહારાષ્ટ્ર)ના ભાભી તેમજ દ્વારકા નિવાસી દિનેશચંદ્ર કરસનદાસ વિઠલાણી, સ્વ. કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિપકભાઈ અને સ્વ.રીટાબેનના બહેન તા. ૪ ના…

Read More

રમતા રમતા ગરમ દાળમાં પડી ગયેલા માસુમ બાળકનું કરુણ મૃત્યુ: અરેરાટી : વાડ પ્રસંગે કલ્યાણપુરના રાણ ગામે બન્યો બનાવ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં…

Read More

ખંભાળિયામાં રંગભીના ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ: યુવાધન હિંડોળે ચડ્યું

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬        રંગોના પર્વ એવા ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધુળેટી નિમિત્તે આજે સવારથી શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે ખાસ કરીને યુવાનો-યુવતીઓ તેમજ બાળકો સહિત સૌ અબાલ વૃધ્ધોએ એકબીજાને વિવિધ પ્રકારના રંગો વડે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.        શહેરના…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More

પોરબંદરમાં ‘નેત્રમ’ સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં ભૂલથી બદલાઈ ગયેલું બાઈક પરત મળ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરી છે. ચોપાટી ગેટ પાસે પાર્ક કરેલું યોગેશભાઈનું હોન્ડા સાઈન બાઈક (GJ25R5278) ગુમ થતા તેમણે નેત્રમનો સંપર્ક કર્યો હતો. ​નેત્રમ ઇન્ચાર્જની સૂચનાથી સ્ટાફે સીસીટીવી ફૂટેજ તપાસતા જણાયું કે, એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે ભૂલથી આ…

Read More

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’ સંપન્ન

​પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન ​પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન…

Read More

નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર

​પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…

Read More

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More