બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી તસ્કરોની કરતૂત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ચોરીની આ ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર બેટ દ્વારકા યાત્રાધામમાં આવેલા આવળ માતાજીનું મંદિરે તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી…
