Monday July 28, 2025

ખોટા દસ્તાવેજો ઉભા કરીને હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ ત્રણ સામે FIR : બેની ધરપકડ

 – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫        ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. […]

MoneyTrap : પહેલા એ હોટલમાં લઈ, ગઈ “સહશયન” પછી 10,000 પડાવ્યા પછી તેના ડમી પતિએ 10 લાખ માંગ્યા અને

ભાવનગરના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે શખ્સની ધરપકડ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની માંગણી કરનાર મહિલા સહિત બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં ફરાર એની એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં એક વેપારી પાસે અથાણાની ખરીદી કરવા […]

ભાવનગરમાં નાના ભાઈનું ખૂન કરનાર મોટો ભાઈ ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.ર ભાવનગર ના સવાઈ નગર ગામમાં જમીન ના ઝગડામાં સગા ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ની પોલીસે ધરપકડ કરી છે.  ભાવનગરના નજીકના સવાઈનગર ગામે ચાર દિવસ પહેલા જમીનના ઝગડામાં મોટાભાઈ મુકેશ પરમારે નાનાભાઈ ચંદુભાઈની ધારિયું મારી હત્યા કરી હતી  જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચાર દિવસ પહેલા મુકેશ પરમાર નામના હત્યારા […]

ખોટા દસ્તાવેજો ઉભા કરી હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ 3 સામે FIR – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે

  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫        ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ […]

બેટ દ્વારકામાં પરપ્રાંતિય શ્રદ્ધાળુના મુદ્દામાલની ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫           હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવુભાઈ નામના એક શ્રદ્ધાળુઓ તાજેતરમાં દેવભૂમિના બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે રિક્ષામાં રાખેલું રૂ. 40,000 ની કિંમતનું લેપટોપ તેમજ રૂપિયા 7,000 ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર કોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ […]

Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત

આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર  મંત્રના જાપ કરાશે વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ  છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી […]

કોન બનેગા હજારોપતિ ? : રાળગોનની જ્ઞાનમંજરી સ્કૂલમાં કોન બનેગા 21000 પતિ સ્પર્ધા યોજાઈ

હરેશ જોષી, રાળગોન તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર દિવસે આજુબાજુના ૫૪ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી […]

પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોત સિહોર, મંગળવાર તા.૧-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત છે. પશુપાલક […]

જામનગરથી દ્વારકા જતા ઉદ્યોગપતિપુત્ર અનંત અંબાણીનો દેખાયો માનવતાવાદી ચહેરો: કતલખાને જતા મરઘાઓને બચાવી લેવાયાં

– મરઘાઓના માલિકને મરઘાની કિંમત પણ ચૂકવાઇ – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫        રિલાયન્સ – જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનો આજે આમ જનતાએ માનવતાવાદી ચહેરો પણ નિહાળ્યો છે. પદયાત્રા દરમિયાન માર્ગમાં કતલખાને લઈ જવાતા મરઘાઓ ભરેલા એક વાહનને તેમણે અટકાવી અને તમામ મરઘાઓ બચાવી લેવા તેમજ તેના માલિકને તેની રકમ ચૂકવવા […]

કાર્યકર્તાઓના ઘરની શુભેચ્છા મુલાકાતો લઈને પરિવાર ભાવ ઉજાગર કરતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ

ભાવનગર ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે. બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ […]

Back to Top