Headlines

અડતાળા ગામે ચકલી માળા વિતરણ

મૂકેશ પંડિત અડતાળા રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ ગઢડા પાસેનાં અડતાળા ગામે વિશ્વ ચકલી દિવસ સંદર્ભે ચકલી માળા વિતરણ થયું. ઉગામેડીનાં ઉદ્યોગપતિ દાતા શ્રી લાલજીભાઈ પટેલનાં સહયોગ સાથે શાળામાં વિધાર્થીઓને ચકલી માળા વિતરણ થતું. પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલનાં સંકલન સાથે આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર, શ્રી બાબુભાઈ સુડજા, શ્રી પરેશભાઈ ધનવાણિયા અને શાળા પરિવાર જોડાયેલ.

Read More

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા

હરેશ જોષી, ટીમાણા આજરોજ તારીખ 22 3 2025 ને શનિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ચોથી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા ટીમાણાનો વધુ એક વિદ્યાર્થી પંડ્યા કનિષ્ક ભાવેશભાઈ (દાંત્રડ) પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 21 બાળકો ચાલુ શૈક્ષણિક વર્ષે જવાહર નવોદય પ્રવેશ…

Read More

ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ

દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી થઈ અર્પણ બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫(મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની…

Read More

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશ ઓઝા

બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સ્વીકાર બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું…

Read More

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના…

Read More

Bavaliyali Katha: દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથાનો લાભ લેતાં ભાવિકો બાવળિયાળી, શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો. સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ…

Read More

૨૨ માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સુધી જશે

શંભુ સિંહ, ભાવનગર રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક ના લીધે, 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, 22.03.2025 ના રોજ, 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર…

Read More

હરિદ્વાર જનારા રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર: રેલવે પ્રશાસને મે મહિનામાં બ્લોકને કારણે રદ કરાયેલી ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કર્યો

શંભુ સિંહ, ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે મે મહિનામાં ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, રેલવે પ્રશાસને હવે આ ટ્રેનને રદ…

Read More

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી…

Read More

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક…

Read More