Headlines

અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા નંદાણાના મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯: કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાધાબેન કરસનભાઈ ચાવડા નામના 40 વર્ષના આહિર મહિલાએ ગુરુવાર તા. 28 ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દોરડા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ સામતભાઈ ચાવડા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.  _____________________________________________________________________________…

Read More

ખંભાળિયામાં સફાઈ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હવે નગરપાલિકા સ્ટાફ દ્વારા કરવાનો નિર્ણય

– ખર્ચ બચાવવા અને કોન્ટ્રાક્ટરની કહેવાતી નિષ્ક્રિયતા અંગે પાલિકા દ્વારા નિર્ણય – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં કચરા અને ગંદકી અંગે નગરજનોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો તેમજ કોન્ટ્રાક્ટર સહિતના કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાને લઈ અને નગરપાલિકા તંત્ર દ્વારા હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પોતાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તેવું…

Read More

અધિક માસ નિમિત્તે ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં અનેકવિધ ઉત્સવોના આયોજનો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬     ખંભાળિયામાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 ની બેઠક ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રવિવાર તા. 31 મી ના રોજ નિકી લાગત શરદ ઉજિયારી (રસોત્સવ), સોમવાર તા. 1 ના રોજ આમ્ર કુંજ, મંગળવાર તા. 2 ના રોજ કુંજ મે મચક…

Read More

ખંભાળિયાની ગૌરવવંતી જી.વી.જે. હાઈસ્કૂલમાં રવિવારે પુસ્તક વીમોચનનો ભવ્ય કાર્યક્રમ

– અનેક મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં આવેલી શહેરની પુરાતન અને ઐતિહાસિક એવી સુપ્રસિદ્ધ શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી (જી.વી.જે. હાઈસ્કૂલ) માં આગામી રવિવાર તારીખ 31 મી ના રોજ બે અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.        શહેરના વયોવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા…

Read More

દ્વારકામાં ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા…

Read More

જામ દેવળીયા ગામનો બુટલેગર પાસા તળે જેલ હવાલે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.         જેમાં…

Read More

ખંભાળિયામાં ચોરીના ગુના પ્રકરણનો નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં રાજકોટના કુવાડવા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતો અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા નામના 28 વર્ષના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું….

Read More

ખંભાળિયામાં રેડ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો

– મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો  – ગોંડલની શ્રી રામ હોસ્પિટલના તબીબોની સેવા – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ સોસાયટીના ઉપક્રમે ગોંડલની જાણીતી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન તેમજ દવા વિતરણ…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત: આધેડનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬            ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના 52 વર્ષના આધેડ ગત તા. 5 મે ના રોજ પોતાના જી.જે. 10 એ.જી. 8420 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે…

Read More

ખંભાળિયાના વોર્ડ નં. 1 માં ગટરનો સળગતો પ્રશ્ન હલ કરવા જાગૃત સદસ્યની જહેમત

– જે.સી.બી. જેવા સાધનોથી વોંકળાને ચોખ્ખો કરાવાયો – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીકથી રેલવે ફાટક સુધીના માર્ગમાં આવેલી એક જૂની અને વિશાળ ગટર કે જે ચોમાસાના સમયમાં સ્થાનિકો માટે શિરદર્દ સમાન હતી, આ ગટરને ચોખ્ખી કરાવવા વોર્ડ નં 1 ના જાગૃત અપક્ષ સદસ્ય દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં…

Read More