Headlines

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ…

Read More

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફુલડોલ ઉત્સવને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ

– પદયાત્રી કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ, જિલ્લા કલેકટર અને એસ.પી. – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫        કાળિયા ઠાકોર સંગ હોળી રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. 14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની…

Read More

ખંભાળિયાના દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે શુક્રવારે પહેડી મહોત્સવનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડાના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન આગામી શુક્રવાર તારીખ 14 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં…

Read More

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. –…

Read More

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.  …

Read More

બેટ દ્વારકાના મંદિરે ફુલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫            શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે.       જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે…

Read More

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ…

Read More

પો૨બંદ૨ની શ્રીનાથજીની હવેલીમાં ફુલફાગ – હોળી રસીયાનું અનેરૂ આયોજન

ભરત લાખાણી, પોરબંદર પો૨બંદ૨માં વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક એટલે શ્રીનાથજી ની હવેલી છે. અને વર્ષો અગાઉ ફુલફાગ હોળી ૨સીયા માત્ર હવેલીમાં જ ઠાકોરજીની સનમુખ ક૨વામાં આવતા હતાં. પરંતુ હવે ધીરે ધીરે વૈષ્ણવો અલગ અલગ જગ્યાએ હોળી રસીયાનો મનોરથ કરતા હોય છે. પરંતુ પોરબંદરની શ્રીનાથજી ની હવેલીના મુખ્યા પ્રકાશભાઈ ઠાકોર દ્વા૨ા હજુ પણ વૈષ્ણવોની પ્રણાલી અને રીવાજ…

Read More