Headlines

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું…

Read More

ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી

હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી…

Read More

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન: રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડાની આગેવાનીમાં સમાજનું શક્તિપ્રદર્શન

​ ​પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિ અને મનુભાઈ ચાવડાના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશભરના કોળી સમાજના અગ્રણીઓ એકમંચ પર એકત્રિત થયા ધ ગ્રેટ વર્લ્ડ, ​નવી દિલ્હી, ૨૧ જૂન ૨૦૨૬ ​આજે રવિવારના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.)’ દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન – 2026 અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયું…

Read More

ભાણવડમાં વૃદ્ધ અને નધણીયાતા બળદનું આશ્રય સ્થાન એટલે શિવ નંદી આશ્રમ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ…

Read More

ગુજરાત સાહિત્ય અકાદમી અને  ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી  તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં  સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક  હરદ્વાર ગોસ્વામીનું અને  લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…

Read More

જૂનાગઢમાં બરડાઈ બ્રહ્મ સમાજના પરિવારોમાં છબીનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫      કચ્છ – સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રસ્ટી તથા પ્રમુખ તેમજ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રાજ્યગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ખંભાળિયા બરડાઈ બ્રાહ્મણ સમાજના વિજયભાઈ રાજ્યગુરુ દ્વારા જુનાગઢ ખાતે બરડાઈ બ્રહ્મ સમાજના તમામ બરડાઈ બ્રાહ્મણ સમાજના ઘર સુધી પ્રસાદી સ્વરૂપે સોમનાથ મહાદેવની ગોલ્ડન ફ્રેમ સહીતની છબી…

Read More

ખંભાળિયાની ગોવર્ધનનાથજીની હવેલીમાં ગુરુવારે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં ન્યુ સલાયા ગેઈટ નજીક આવેલી જૂની અને જાણીતી શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ આશરે 170 જેટલા લાભાર્થીઓ લાભ લ્યે છે.         આ સેવાકીય પ્રવૃતિ…

Read More

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતિય મજૂરોને રાખવા બદલ કાટેલાના ખેડૂતની ધરપકડ

પોરબંદરકાયદા અનુસાર પોલીસને ખબર વગર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પર પ્રાંતિય મજૂરોને મજૂરી માટે રાખી શકે નહીં. આ કાયદા અનુસાર પોરબંદર જિલ્લામાં એક ખેડૂતની ધરપકડ થઈ છે.પોલીસને જાણ કર્યા વગર અશોક નભૅશંકર થાનકી (ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.કાંટેલાગામ ચાર રસ્તા વાડીવિસ્તાર તા.જી.પોરબંદર)એ પોતાના ખેતરમાં ખેતી કામ માટે પરપ્રાંતીય મજૂરોને બહારથી બોલાવી મજૂરી કામ માટે રાખી ગુનો કરવા…

Read More

ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.

Read More

સોમવારે અક્ષય તૃતીયા: કાળઝાળ ગરમીથી બચવા કાળીયા ઠાકોરને ચંદન વાઘાનો શૃંગાર કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ આગામી સોમવાર તારીખ 20 એપ્રિલના રોજ વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પશૃંગાર થશે – ઠાકોરજીને ઠંડક આપતાં વસ્ત્ર પરિધાન કરાશે – દ્વારકાના જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય…

Read More