Headlines

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળ્યો દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી. દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ…

Read More

ભાવનગરમાં આંબેડકર જ્યંતી નિમિતે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુમિત ઠક્કર, ભાવનગર કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના…

Read More

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને સાંસદ પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું…

Read More

કલ્યાણપુર નજીક કારનો ગમખ્વાર અકસ્માત: વિ પ્ર વૃધ્ધ અને મહિલાના કરુણ મોત

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાબરડી ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક મોટરકાર અકસ્માતમાં એક વૃદ્ધ તથા તેમના પરિચિત એવા એક મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા પછી હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજીભાઈ લાલજીભાઈ જોશી નામના એક વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જામનગર ખાતે રહેતા એક પરિચિત…

Read More

દ્વારકાની વ્રજ હોસ્પિટલના ઉપક્રમે માઈનર ઓપરેશનનો વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો

– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.       શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…

Read More