Headlines

ગુજરાતના દિગ્ગજ કોળી નેતા મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્ત

[ લગે રહો મનુભાઈ ] લખનઉમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન દેશભરના કોળી સમાજના ટોચના નેતાઓની હાજરીમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનુભાઈ ચાવડા કોળી સમાજના સર્વોચ્ચ નેતા બન્યા ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક મનુભાઈ ચાવડાની નિમણૂક બેઠક અને સમારોહમાં ગુજરાતના પૂર્વ…

Read More

હાર્બર મરીન પોલીસે લોકોને મહિલા જાગૃતિ સંબંધી કાનૂની જ્ઞાન આપ્યું

પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સીલ્વર સી ફુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના…

Read More

સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…

Read More

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી…

Read More

ખંભાળિયા સહિત જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં: નાના દરનાં ચલણની તંગીથી લોકોને મુશ્કેલી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો…

Read More

ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં ભાજપ યુવા મોરચાએ દેશના શહીદોને વિરાંજલી અર્પણ કરી

હરેશ પરમાર, ભાવનગર ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ વીર શહીદ ભગતસિંહજી, શિવરામ રાજ્યગુરુજી તેમજ સુખદેવ થાપરજીએ ‘માં ભારતી’ ના ચરણમાં પોતાના મસ્તકની આહુતિ આપેલ, એ ઘટનાને આજે ચોરાણું વર્ષ થયાં છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૨૩-૦૩-૨૦૨૫ અને ‘શહીદ દિન’ અંતર્ગત સવારે ૧૦-૦૦ કલાકે ઘોઘાગેટ ખાતે…

Read More

ભાવનગર વડવા- બ વોર્ડની પેટા ચૂંટણી અનુસંધાને શહેર ભાજપ કાર્યાલયે અનુ. જનજાતી મોરચાની બેઠક મળી

વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના અનુસંધાને તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠક મળેલ, જેમાં ચુંટણી પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અનુ. જનજાતી મોરચાના પ્રભારી શ્રી હરેશભાઇ પરમાર, અનુ. જનજાતી મોરચાના પ્રમુખ શ્રી સુનિલભાઈ ઉમટ, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ બુરવટ,…

Read More

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને…

Read More

દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી: યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયાદ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, ‘તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?’- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.આટલું જ…

Read More