Headlines

​પાકિસ્તાનના બન્નુમાં ભીષણ આત્મઘાતી હુમલો: 12 સુરક્ષાકર્મીઓના મોત

​​ધ ગ્રેટ વર્લ્ડ બન્નુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. બન્નુ જિલ્લાના માલીખેલ વિસ્તારમાં આવેલી એક સંયુક્ત ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન અથડાવ્યું હતું. આ ભીષણ વિસ્ફોટમાં પાકિસ્તાન સેના અને ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના 12 જવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહેલા ચેકપોસ્ટની દિવાલ…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

તાલાલાના પદ્મશ્રી એવોર્ડ વિનર હીરબાઈ લોબીનું અવસાન

તાલાલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને મહિલા ઉત્થાન માટે વિરાટ પ્રવૃત્તિઓ કરનાર હીરબાઈ લોબીનું અવસાન થયું છે. હિરબાઈ લોબી તાલાલાના સીદી બાદશાહના ગામ જાંબુરના રહેવાસી હતા અને તેમણે વર્ષો સુધી મહિલા જાગૃતિની પ્રવૃત્તિઓ કરીને લોકપ્રિયતા મેળવી હતી અને તેમના આ ઉમદા કાર્યોને લીધે ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો.

Read More

સિરીયામાં મોટા વહીવટી ફેરબદલ: અબ્દુલ હમીદ રસલાન બન્યા સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર

ધ ગ્રેટ વર્લ્ડ, દમાસ્કસ સિરીયાના રાજકારણ અને આર્થિક મોરચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાએ વહીવટી તંત્રને વેગ આપવા અને આર્થિક સ્થિરતા લાવવા માટે દેશના એક જાણીતા બેંકર અને સિરીયન ડેવલપમેન્ટ ફંડના પૂર્વ વડા અબ્દુલ હમીદ રસલાનને સેન્ટ્રલ બેંક ઓફ સિરીયાના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભૂતપૂર્વ ગવર્નર અબ્દુલ કાદિર…

Read More

ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

વિશ્વ: એપલ જૂના આઈફોન યુઝર્સને $૨૫૦ મિલિયનનું વળતર ચૂકવશે

​ધ ગ્રેટ વર્લ્ડ, ક્યુપર્ટિનો (કેલિફોર્નિયા) ​ટેક જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) ફરી એકવાર કાયદાકીય ગૂંચવણોને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી ચાલી રહેલા એક ક્લાસ-એક્શન લોસ્યુટ (સામૂહિક દાવો) ના પતાવટ રૂપે કંપની હવે ૨૫૦ મિલિયન ડોલરની માતબર રકમ ચૂકવવા સંમત થઈ છે. આ વિવાદ મુખ્યત્વે જૂના આઈફોન મોડલ્સની બેટરી અને તેની સ્પીડ સાથે જોડાયેલો છે. આ…

Read More

માધવપુરના મેનાબેન ત્રણ વર્ષની બાળકીને લઈને ગુમ

પોલીસ સ્ટેશનથી માત્ર 1 km દૂર અનુસૂચિત જાતિ વાસમાં બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્બત: પોલીસ તપાસરત પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ અનુસૂચિત જાતિ વાસમાં મેનાબેન નામની એક 23 વર્ષની યુવાન મહિલા પોતાની ત્રણ વર્ષની બાળકીને લઈને ગામમાં જવાનું કહીને ક્યાંક ગુમ થઈ ગયા છે. તેના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.પોલીસે કહ્યું કે…

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More

વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે ભાગવત સપ્તાહ

ઈશ્વરિયા, મૂકેશ પંડિત શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે આગામી ગુરુવારથી ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સિહોર તાલુકાનાં તરકપાલડી ગામે ગોહિલ પરિવાર દ્વારા થયું છે. આગામી ગુરુવાર તા.૨થી બુધવાર તા.૮ દરમિયાન આ ભાગવત સપ્તાહમાં સંતો મહંતો સાથે ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જોડાશે.

Read More