Headlines

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું

ભાવનગર 76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની…

Read More

ભાવનગર ખાતે રક્તપિત કોલોનીમાં ધાબળા વિતરણ કરતા રામકૃષ્ણ શાસ્ત્રી

હરેશ જોષી, ભાવનગર ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મહાત્મા ગાંધી કોલોની ખાતે લોકસાધુ પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કૂંઢેલીવાળા હસ્તે પીડિતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.આછવણી સ્થિત ઓમકારેશ્વર મહાદેવના ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પાર્થભાઈ જોશી, કાર્યકર રમેશભાઈ સોની વગેરે સાથે રહ્યા હતા.

Read More

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં…

Read More

ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધ પર હુમલો: બે બંધુઓ સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભીમશીભાઈ ખીમાભાઈ કારેથા નામના 66 વર્ષના વૃદ્ધએ પોતાની ખેતીની જમીનમાં પોતાની જાતે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર કથિત રીતે દબાણ કરવામાં આવતા આ અંગે ફરિયાદી ભીમશીભાઈએ આરોપી દેવશીભાઈ ખીમાભાઈ કારેથા અને આશિષ ખીમાભાઈ કારેથાને દબાણ નહીં કરવાનું…

Read More

રેલવે બોર્ડની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય: બધી વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ RRB / કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા CBT મારફતે લેવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર આજે, રેલવે બોર્ડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે બધી વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ RRB / કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા CBT મારફતે લેવામાં આવશે. બધા ઝોનલ રેલવે પરીક્ષા માટે એક કેલેન્ડર બનાવશે. બધી પરીક્ષાઓ ફક્ત કેલેન્ડરના આધારે લેવામાં આવશે.તાજેતરના વર્ષોમાં RRB દ્વારા લેવામાં આવતી પારદર્શક, ન્યાયી અને…

Read More

કુંભમેળો : કોઈ પૂણ્ય માટે… કોઈ પેટ માટે…

તસવીર કથા : મૂકેશ પંડિત પ્રયાગરાજ ગુરુવાર તા.૧૬-૧-૨૦૨૫ ઐતિહાસિક અને આધ્યાત્મિક એવો મહાકુંભમેળો ચાલી રહ્યો છે, પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. ગંગા યમુના સંગમ સ્થાનમાં યોજાતા આ મેળામાં કોઈ સ્નાન સાથે દર્શન પૂજન કરી પૂણ્ય પ્રાપ્ત કરવાં માટે ઉમટ્યાં છે… તો આ સાથે જ કોઈ પોતાનાં જીવન નિર્વાહ હેતુ પેટ માટે પણ આવ્યાં…

Read More

“ફાલ્ગુન ફેરી” નિમિત્તે 12મી માર્ચે પાલીતાણાથી બાન્દ્રા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

ભાવનગર મુસાફરોની સુવિધા અને “ફાલ્ગુન ફેરી” નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃબાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10.03.2025 (સોમવાર)ના…

Read More

પોરબંદર કોલીખડા રોડ પર અજાણ્યા વાહન અડફેટે બખરલાના યુવકનું મોત

પોરબંદરપોરબંદર કોલીખડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે બખરલા ગામના એક યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. બખરલાગામ જુનો વણકરવાસ તા.જી.પોરબંદર)એ વાહન નંબર GJ-25-U-7148ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરીયાદીના…

Read More

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો       ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ…

Read More

કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.           આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે…

Read More