ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો
– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…
28મી જાન્યુઆરીની ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ
ભાવનગરઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ…
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના…
વડાપ્રધાનના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જીતુ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર એવા દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડીખમ અને અવિચલ રહ્યું છે. આવતા ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારવાના છે. તેના ઉપલક્ષમાં…
પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ…
ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ
મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…
રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક…
ભાણવડ નજીક સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…
તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું
ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના…
