Headlines

કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી

વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ…

Read More

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે પરિવાર અને દર્દી અને કામદારો ના બાળકો સાથે દિવાળી ના ફટાકડા ફોડી ઉત્સવ ની ઉજવણી કરાઈ

સુમિત ઠક્કર, ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળી ના પર્વ ની સૌ સાથે સામુહિક ઉજવણી કરી હતી.રેડક્રોસ ના તમામ વિભાગો ના મેડિકલ સ્ટાફ અને ડોકટર ના પરિવાર સહિત રેડક્રોસ માં સારવાર મેળવી રહેલા થેલેસેમિયા ના દર્દી બાળકો, પેશન્ટ કેર એટેન્ડન્ટ, સ્વંયસેવકો, હોદ્દેદારો અને શુભેચ્છકો સાથે મળી ને દિવાળી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી…

Read More

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ…

Read More

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા…

Read More

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને…

Read More

ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.

Read More

ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ…

Read More