Headlines

ભાવનગરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં બટુક ભોજન અને માટીના માળા-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે રવિવારે સાંજે ૬:૩૦ કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં આવેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરે બાળકો માટે બટુક ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓની સેવાના હેતુથી કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી…

Read More

રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું

– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…

Read More

​ભાવનગરમાં પરંપરા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી’…

Read More

હાથબ સીટ ઉપર હાર ભાળી ગયેલું ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જમણવાર જાહેર કરીને લોકોની ભીડ એકઠી કરશે: દિવ્યેશ ના કારણે ભાજપની ઘટતી લોકપ્રિયતા

ભાવનગર ભાજપમાં ‘ઈગો’નું ગ્રહણ: દિવ્યેશ સોલંકીના અહંકાર અને નબળા નેતૃત્વના કારણે કેસરીયો લહેરાવવામાં નિષ્ફળતા મળશે? ​રાજકીય વિશ્લેષણ: ‘ભાઈ’ જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહેલા પુત્રના કારણે તાલુકા પંથકમાં કોંગ્રેસની લોકપ્રિયતા વધી; હાથબમાં જમણવારના પ્રલોભન દ્વારા ભીડ ભેગી કરવાની મથામણ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના રાજકારણમાં દાયકાઓથી જેનું નામ ગુંજતું રહ્યું છે તેવા પુરુષોત્તમભાઈ સોલંકી એટલે…

Read More

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)          અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને…

Read More

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

એડવોકેટ ભરત લાખણીનો અનુરોધ: નવા વર્ષે સ્નેહીજનોને રૂબરૂ મળો

ધ ગ્રેટવર્લ્ડ, પોરબંદરઆધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે માણસ એકબીજાને મળવાથી એટલો બધો વંચિત થતો જાય છે કે જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખરેખર રૂબરૂ મળવું જોઈએ એવા તહેવારો પણ માત્ર ડિજિટલ માધ્યમો ઉપર ઉજવાતા થઈ ગયા છે. આ બાબત ને લઈને પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણીએ જનતાને એવો અનુરોધ કર્યો છે કે તેઓ આવનારા નવા વર્ષે…

Read More

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. –…

Read More

ભાણવડના મોડપર ખાતે સોમવારે કોટેચા પરિવારનો હવન

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે બિરાજમાન કોટેચા પરિવારના પૂજ્ય વાછરા ડાડાના વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી સોમવાર, તા. 21 ને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવ્યું છે.         દર વર્ષની પરંપરા મુજબ મોડપર ગામમાં વાછરા ડાડાના યોજવામાં આવેલા આ ભવ્ય યજ્ઞના પાવન પ્રસંગે કોટેચા પરિવારના…

Read More

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી

શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં…

Read More