ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૭ ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો ૩૧ મો કાર્યક્રમ કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત, કેતન રાવલ, , ડો.અનિલભાઈ…
ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે છાશ વિતરણ કેન્દ્રનો “પાણીદાર” પ્રારંભ
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ…
ગુજરાત સાહિત્ય અકાદમી અને ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી
વિપુલ હિરાણી ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક હરદ્વાર ગોસ્વામીનું અને લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…
ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…
દ્વારકામાં શ્રધ્ધાળુઓને બેભાન કરી, લૂંટ પ્રકરણના આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં થોડા સમય પૂર્વે ઉજવાઈ ગયેલા ફૂલડોલ ઉત્સવ દરમ્યાન અહીં પગપાળા આવેલા યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં લઈ જઈને નશીલો પદાર્થ પીવડાવી, લૂંટ થવા અંગે નોંધાયેલી પોલીસ ફરીયાદ અન્વયે જિલ્લા પોલીસના એલ.સી.બી. વિભાગે ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આજે બન્ને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન…
ખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત: મુસાફરો ઘવાયા
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી…
દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે…
શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ
દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા…
ખંભાળિયા નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે પૂર્વ કારોબારી ચેરમેનની ચીફ ઓફિસરને રજૂઆત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે નગરપાલિકાના તત્કાલીન કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં એક પણ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ન…
