Headlines

કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.           આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે…

Read More

પોરબંદરના કાશ્મીરા ખોરાવા આપધાત કેસમાં એડવોકેટ ભરત લાખાણીની સ્પેશ્યલ સ૨કા૨ી વકીલ તરીકે એન્ટ્રી

દશેક વર્ષ પહેલાના કાશ્મીરા ખોરાવાના આપધાત કેસમાં આરોપી તરીકે ખા૨વા જ્ઞાતિના ખૂબ જ મોટા આગેવાનોના નામ હોઇ તે વખતે આ કેસ ખૂબ જ ચકચારી બનેલો અગાઉ આ કેસ લડી રહેલા એક વકીલનું મૃત્યુ થયું અને બીજા વકીલ રાજકોટથી આવતા નહોતા: કેસમાં હવે સરકારી વકીલ તરીકે એડવોકેટ લાખાણીની એન્ટ્રી પોરબંદરપો૨બંદ૨માં દશેક વર્ષ પહેલા ખૂબ જ ચકચારી…

Read More

બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી

અમરેલીએડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં…

Read More

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More

ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫       ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.       આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ…

Read More

દ્વારકામાં પુત્રના જન્મદિવસે ડો. સાગર કાનાણી દ્વારા વિના મૂલ્યે માઇનોર ઓપરેશનનો મેગા કેમ્પ: વૃજ હોસ્પિટલમાં થશે અનુકરણીય ઉજવણી

કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫       દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં…

Read More

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

કુંભમેળામાં ભીડના કારણે ટ્રેનો રદ થઈ રહી હોવાની વાતને અફવા ગણાવતું ભાવનગર રેલવે

ભાવનગર: ભાવનગર રેલ્વે ડિવિઝન ના એડીઆરએમ (ADRM) હિમાઁશુ શર્મા દ્વારા કુંભ મેળા બાબતે લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા માટે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે કુંભમાં જવા માટે રેલવેની પૂરતી સુવિધા છે અને યાત્રીઓને કોઈ જ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની સુવિધા કરવામાં આવી છે.

Read More

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા

શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે થયેલું આયોજન પ્રયાગરાજ સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે…

Read More