Headlines

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આજે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી વર્ષ 2007માં મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે અને વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા માટે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી મીનેશ મોકરિયા, જૂનાગઢ, 3 માર્ચ: કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ…

Read More

ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ

ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ…

Read More

કાના સરકાર: દ્વારકાધીશના આંગણે ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે કલેકટર કચેરીમાં ખાસ બેઠક મળી

દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫        દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની…

Read More

ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને…

Read More

સદાબહાર અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદમાં થશે ઓલમ્પિક: પરિમલ નથવાણી

– સ્થાપના દિને અમદાવાદીઓને શુભેચ્છા પાઠવતા શ્રી નથવાણી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને…

Read More

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે…

Read More

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત  ખંભાળિયા…

Read More

ખંભાળિયાના યાર્ડ ખાતે આજે “કિસાન સન્માન સમારોહ” યોજાશે

જામ ખંભાળિયા        રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી સોમવાર તા. 24 ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 1 વાગ્યે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો તેમજ પશુપાલકો જોડાશે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

રાજ્યના અંદાજપત્રમાં પ્રવાસ, યાત્રાધામ અને વન પર્યાવરણમાં ખાસ જોગવાઈને આવકારતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫        રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે દિવસ પૂર્વે રજુ કરવામાં આવેલા રાજ્યના વિકાસશીલ બજેટમાં રાજ્યમાં પ્રવાસન, યાત્રાધામ તથા વન પર્યાવરણ વિભાગમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને આ વિભાગોના વધુ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે.        વન અને પર્યાવરણ…

Read More

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા…

Read More