Saturday June 21, 2025

બગદાણામાં ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ બાપા બજરંગદાસની 48મી પુણ્યતિથિ

રાજ્ય અને દેશભરમાંથી તેમજ વિદેશમાંથી પણ આવેલા લાખો ભક્તોએ બાપા સીતારામનો નાદ ગજાવ્યો હરેશ જોષી, કુંઢેલી દ્વારા મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી.નાના એવા બગદાણા ગામમાં આજે આ પુણ્યતિથિ મહોત્સવમાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તોજનો હજારોની સંખ્યામાં જોડાઈને આજના પ્રસંગના સાક્ષી બન્યા હતા.હૈયેહૈયુ દળાય તેટલી ચિક્કાર […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો

બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભ પ્રયાગરાજ શુક્રવાર તા.૧૭-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. શ્રી બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભ મળી રહ્યો છે. શ્રી બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે અને શ્રી ગુરૂઆશ્રમ બગદાણાનાં વડા રહેલાં […]

કુંભમેળો : કોઈ પૂણ્ય માટે… કોઈ પેટ માટે…

તસવીર કથા : મૂકેશ પંડિત પ્રયાગરાજ ગુરુવાર તા.૧૬-૧-૨૦૨૫ ઐતિહાસિક અને આધ્યાત્મિક એવો મહાકુંભમેળો ચાલી રહ્યો છે, પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. ગંગા યમુના સંગમ સ્થાનમાં યોજાતા આ મેળામાં કોઈ સ્નાન સાથે દર્શન પૂજન કરી પૂણ્ય પ્રાપ્ત કરવાં માટે ઉમટ્યાં છે… તો આ સાથે જ કોઈ પોતાનાં જીવન નિર્વાહ હેતુ પેટ માટે પણ આવ્યાં […]

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનના છઠ્ઠા દિવસે રૂ. 6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાંશ્રી ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ

મહાકુંભમેળામાં મહંત શ્રી ગરીબરામબાપાનાં હસ્તે વિધિ સાથે યોજાયો ભંડારો પ્રયાગરાજ બુધવાર તા.૧૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર શ્રી બહુચરાજીધામનાં શ્રી ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત શ્રી ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ્રસાદ ભંડારો યોજાઈ ગયો. અખિલ ભારતીય ગોહિલવાડ મંડળ છાવણીમાં અધ્યક્ષ મહંત અને મહામંડલેશ્વર શ્રી ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની […]

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 54 કરોડથી વધુના દબાણો ધ્વસ્ત કરાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના આજે પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 50 કરોડ જેટલા દબાણો ધ્વસ્ત કરાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..? – બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત 25 વર્ષથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી […]

પ્રયાગરાજમાં સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન કરાયાં બંધ: મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે લેવાયેલ નિર્ણય

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો. ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ: કુંભસ્નાન સાથે ભાવિકો લઈ રહ્યાં છે કથાલાભ

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે. કુંભસ્નાન સાથે ભાવિકો લાભ લઈ રહ્યાં છે. મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે થયેલાં આયોજનમાં કુંભસ્નાન સાથે ભાવિકો ભાગવત કથા લાભ લઈ રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉત્તરાયણ પર્વ સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ […]

Back to Top