Headlines

ખંભાળિયાના કારખાનેદાર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના પેટકોકના જથ્થામાં કરી ભેળસેળ: . 8.60 લાખની છેતરપિંડી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૬-૧૧-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને…

Read More

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત

મૂકેશ પંડિત, ભાવનગર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા…

Read More

સમય ગ્રુપ દ્વારા અનોખી સેવાપૂર્ણિમા ઉજવાઇ: હોસ્પિટલમાં દર્દીઓને મગનું ગરમાગરમ પાણી અપાયું

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના લાલાભાઇ કારીયા એટલે સેવા ક્ષેત્રે ગરમાગરમ નામ. તેમની સંસ્થા દ્વારા દર્દીઓને ગરમાગરમ મગનું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવા યજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગ પ્રતિકારક…

Read More

ખંભાળિયામાં બીએલઓ દ્વારા મતદારોને હાઉસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તા. 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી શરૂ કરવામાં આવી છે.       જે અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર ખાતે…

Read More

દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની દાનપેટી ચાંદીની અદ્ભુત હસ્તકલા સાથે અર્પણ કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં દર વર્ષે ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના-ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ…

Read More

ભાણવડના ઘુમલી ગામના મંદિરમાં થયેલી ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો: જામનગરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા એક પ્રખ્યાત મંદિરમાં થોડા સમય પૂર્વે ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામે રહેતા નાથા હીરા સાગઠીયા (ઉ.વ. 37) નું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી દર્શાવવામાં આવેલા નાસતા ફરતા ઉપરોક્ત આરોપી સંદર્ભે ભાણવડના…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

જૂનાગઢમાં બરડાઈ બ્રહ્મ સમાજના પરિવારોમાં છબીનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫      કચ્છ – સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રસ્ટી તથા પ્રમુખ તેમજ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રાજ્યગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ખંભાળિયા બરડાઈ બ્રાહ્મણ સમાજના વિજયભાઈ રાજ્યગુરુ દ્વારા જુનાગઢ ખાતે બરડાઈ બ્રહ્મ સમાજના તમામ બરડાઈ બ્રાહ્મણ સમાજના ઘર સુધી પ્રસાદી સ્વરૂપે સોમનાથ મહાદેવની ગોલ્ડન ફ્રેમ સહીતની છબી…

Read More

ખંભાળિયાના ફાફડેશ્વર મહાદેવના મંદિરે આજે પાટોત્સવ દર્શન

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫        ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે બુધવાર તા. 5 ના રોજ પૂનમના પવિત્ર દિને પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

બેટ દ્વારકા ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫      રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત…

Read More