જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)
Year: 2025
ઉનાળાની રોકડી માટે એસટીની વધારાની રેંકડી: રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા
સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું આયોજન અમદાવાદરાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ […]
પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. […]
દીનુ બોઘાના દબાણો દૂર કરનાર ગીર-સોમનાથના બાહોશ જીલ્લા કલેકટર દિગ્વિજય જાડેજાની ગાંધીનગર બદલી: રાજ્યના અન્ય 17 આઈએએસ અધિકારીઓની પણ બદલી
જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી અને ગાંધીનગરથી મુખ્યમંત્રીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એચ પી પટેલ જુનાગઢ ડીડીઓ તરીકે આવશે ગાંધીનગરરાજ્યના 18 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે તેમાં ખનીજ માફિયાઓ અને દબાણ માફિયાઓ સામે હિમ્મતપૂર્વક કાર્યવાહી કરનાર ગીર-સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર બદલી થઈ છે. ડિમોલેશનની કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા હતા. દિનુ બોઘાની દાદાગીરી ની સામે […]
ખંભાળિયાના કંચનપુર કરમદી ગામે સોમવારે ઉર્ષ મુબારકનો કાર્યક્રમ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે. ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. […]
ખંભાળિયામાં એક તરફી પ્રેમીએ યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો
– તલવાર અને ધોકા વડે હુમલા સબબ કુલ ત્રણ સામે ફરિયાદ જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૫ ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ શખ્સના પિતા તેમજ ભાઈ દ્વારા […]
કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોએ તળાજાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માહિતી મેળવી
પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો Haresh Joshi, Kundheli તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ […]
કુંઢેલી ગામે વતનપ્રેમી દાતાઓ દ્વારા મુખ્ય ગેટ તેમજ પાણીના પરબનું ભૂમિપૂજન થયું
શિક્ષણપ્રેમી દાતાની સખાવતથી શાળામાં ગેટ તેમજ પાણીનું પરબ તથા ગામમાં વિશાળ મુખ્ય ગેટ નિર્માણ પામશે હરેશ જોશી, કુંઢેલીતળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતા ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.તેમજ કુરજીભાઈ મોહનભાઈ ગોટી તથા જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી પરિવાર દ્વારા નવા સંકુલમાં […]
તરેડીના તળાવમાં તીરાડ, ત્રાડ અને તડાફડી: ધારાસભ્ય મોટા કે જીલ્લા પંચાયતનો લઘુ સિંચાઇ વિભાગનો અધિકારી મોટો? : ભરતસિંહ વાળા
મહુવાગુજરાતના સ્થાપના દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ તરેડીથી વાલાવાવ રોડ પર આવેલ તળાવની સ્થળ પર મુલાકાત લીધી અને ભરતસિંહે આક્રોશ સાથે નીવેદન આપ્યુ. સરકારે તેના જમીન વિકાસ નિગમ દ્વારા તળાવ બનાવેલ તે તળાવનો પાળો ૨૦૨૩/૨૪ બે વર્ષથી વરસાદના પાણીથી તળાવનો પાળો તુટે છે તે સરકારનુ જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ રીપેરીંગ કરતું નથી. ભરતસિંહ વાળાએ […]
