Headlines

દ્વારકાના બાટીસા અને ભાણવડ તાલુકાના શિવા ગામે કાલે સેવા સેતુ કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬        દ્વારકા તાલુકાના બાટીસા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ શુક્રવાર તા. 13 ના રોજ સવારના 9 વાગ્યાથી સાત ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગઢેચી, ગોરીયારી, બાટીસા, મૂળવેલ, નાગેશ્વર, રાંગાસર ગામનો સમાવેશ થશે.      આ જ રીતે ભાણવડ તાલુકાના શિવા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે શુક્રવારે ૧૨ ગામોના કલસ્ટરનો…

Read More

કુરંગા સરકારી શાળાના મહિલા આચાર્યાને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

નારી તું નારાયણી… જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬        આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા સન્માનિત મહિલાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળ તાલુકામાંથી શિક્ષક તરીકે એકમાત્ર કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી.    …

Read More

કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ…

Read More

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

– રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો ઉત્તર – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા)        કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી…

Read More

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬       રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર…

Read More

ભાવનગરના પરમ તપસ્વીની બ્રહ્માકુમારી ઞીતાબહેનનુ અવસાન

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૧ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્ર માં ૧૫ વર્ષ થી સેવા બજાવી તેમજ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરી અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૧૯૭૨ માં ન્યુ એસ.એસ.સી.બોડમા પ્રથમ નંબર લીઘેલ ત્યારે બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ…

Read More

ગણેશ શાળા-ટીમાણાના વિદ્યાર્થીઓએ CET-2026ની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા હરેશ જોષી – ટીમાણા ભાવનગર જિલ્લાના ટીમાણા ગામે આવેલી ગણેશા શાળાના વિદ્યાર્થીઓ હંમેશા દરેક પરીક્ષાના પરિણામમાં અગ્રેસર રહે છે.તારીખ 9 માર્ચ 2026ના રોજ જાહેર થયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા છે.જેમાં ગોહિલ કેવિન ભરતભાઈ…

Read More

“ધ ગ્રેટ વર્લ્ડ’ના ગ્રેટ ડોગ ‘બુબૂ’ની અણધારી વિદાય થતાં તેના સ્મરણમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કવિ ગીરીશ રઢુકીયાનો અનોખો સેવાકીય નિર્ધાર

​દરેક રવિવાર હવે ‘બુબૂ મય’ બનશે: અમદાવાદના સરખેજમાં કૂતરાઓને બિસ્કિટ ખવડાવી અપાશે અંજલિ; બુબૂના જીવન પરથી ફિલ્મ બનાવવાનું આયોજન ​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ/સરખેજ માનવી અને પ્રાણી વચ્ચેનો સંબંધ માત્ર માલિક અને પાલતુ પશુ સુધી સીમિત નથી હોતો, પરંતુ તે આત્મીયતા અને અતૂટ લાગણીના તારથી જોડાયેલો હોય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો ‘ધ ગ્રેટ વર્લ્ડ’ પરિવારના…

Read More

સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે – નવી અને નવીનીકરણીય ઊર્જા સંદર્ભે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિ – તીર્થ પુરોહિતો વચ્ચેની મડાગાંઠનો ઉકેલ લાવવા બ્રહ્મસમાજના અગ્રણીની માંગ : ત્રણ માસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬       બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને ત્રણ માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા અવાર નવાર વિરોધ બાદ સ્થિતિ યથાવત રહેતા યજમાનવૃત્તિ સાથે જોડાયેલા બ્રાહ્મણોનો મંદિરમાં યજમાનવૃત્તિ સાથે જોડાયેલ અહીંના બ્રાહ્મણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ…

Read More