Headlines

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)          અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા: એક ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       કલ્યાણપુર તાલુકાના કનકપર…

Read More

ખંભાળિયાના પશુ સંસ્થાના સ્થાપક અને જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ દેશુર ધમાનો આજે જન્મ દિવસ

જન્મદિન શુભેચ્છા  જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામના મૂળ વતની અને ખંભાળિયા કર્મભૂમિમાં સ્થાયી થયેલા દેશુરભાઈ ધમાનો આજે જન્મ દિવસ છે.         “જીવ માત્રનો કલ્યાણ” જેમનો એક માત્ર ઉદેશ્ય છે એવા દેશુરભાઈ યુવા જીવદયા પ્રેમી છે. સાથે અહીં સાર્વજનિક ગૌશાળાનું નિર્માણ કરીને અબોલ પશુઓની સેવા સારવાર કરી રહ્યા…

Read More

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ સ્વ. ધૈર્યસિંહ રાજડાની આવતીકાલે પ્રાર્થનાસભા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ…

Read More

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ

  (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝ દ્વારા આજે “ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા” (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, MSME, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોને ચકાસવામાં આવી છે. અહેવાલ અનુસાર,…

Read More

શિવરાજપુર બીચ પર નિર્ધારિત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ તથા ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

– શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ – જામ ખંભાળિયા, તા. ૨૬: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા અને બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે મુજબ શિવરાજપુર બિચ પર બાથીંગ અને સ્વિમિંગ ઝોન તરીકે નક્કી કરાયેલ સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં…

Read More

કલ્યાણપુરમાં ગેરકાયદેસર રેતી સાથેનું ટ્રેકટર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે કલ્યાણપુર નજીકના કારગીલ બંદર પાસેથી ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળતા પોલીસે આ ટ્રેક્ટરના ચાલક મેરામણ પરબત ચાવડા (ઉ.વ. 32, રહે. નાવદ્રા) ને ઝડપી લઇ, આ અંગે ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું અનધિકૃત…

Read More

મહત્તમ છૂટક કિંમતના નામે થતી લૂંટ વિરુદ્ધ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેન્દ્ર સરકાર સમક્ષ કડક કાયદો બનાવવા માંગ કરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહત્તમ છૂટક કિંમત એટલે કે એમઆરપીની આડમાં ઉત્પાદકો અને વિક્રેતાઓ દ્વારા ગ્રાહકોની થઈ રહી મોટી નાણાંકીય લૂંટના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રાહક પંચાયતના પ્રતિનિધિ મંડળે પોરબંદર જિલ્લાના ચીટનીશ…

Read More

ભાણવડના વૃદ્ધને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬          ભાણવડમાં મેવાસા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા શામજીભાઈ મોહનભાઈ કણજારીયા નામના 63 વર્ષના વૃદ્ધને ભાણવડના જુના ભુતવડ પાસે રહેતા રમેશ ઉર્ફે કારૂ ઓઘડભાઈ શીડા નામના શખ્સએ ધારીયું તથા લાકડી લઈને આવી તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી શામજીભાઈ કણજારીયાને પોતાની પાસે રહેલા પરવાના…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More