Headlines

૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન: શરૂ થશે : તા. 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા મુકેશ પંડિત, ભાવનગર ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ…

Read More

સાવરકુંડલાના હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

———————————અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો દ્વારા જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની રકતતુલા કરવામાં આવી હતી તથા જગદીશ ત્રિવેદીએ પોતે પણ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ આશ્રમમાં છેલ્લાં વીસ વરસથી દર શુક્રવારે નેત્રયજ્ઞ તથા મેડીકલ કેમ્પનું…

Read More

26મીની બોર્ડની પરીક્ષા પૂર્વે આવતીકાલથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડથી વાકેફ થઈ શકે તેવી વ્યવસ્થા

બોર્ડના પરીક્ષાર્થીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા નિહાળી શકશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી તા. 25 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ…

Read More

ધારાગઢના યુવાનને જામગરી બંદૂક લઈને શિકાર પર નીકળતા ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫      ભાણવડ તાબેના ધારાગઢ ગામે રહેતા સદામ અબુ ઓસમાણ મુન્દ્રા નામના 30 વર્ષના શખ્સને ગઈકાલે સોમવારે સાંજે એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઝાડની કાંટાળી ઝાડીમાંથી જામગરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.          ઉપરોક્ત શખ્સ આ જામગરી બંદૂક લઈને જંગલી જાનવરનો શિકાર…

Read More

દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૬        દ્વારકા તાબેના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભા આલાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાન ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 3445 પર બેસીને દ્વારકાથી રાંગાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે નાગેશ્વર રોડ પર પહોંચતા પૂરઝડપે જઈ રહેલા કાનાભા સુમણીયાએ પોતાના…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો: સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી અકબંધ, વિરોધીઓ નિષ્ફળ

અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જતાની સાથે જ સરપંચ ગૌતમ બારૈયાના વિરોધીઓના ચહેરા ઢીલાઢફ થઈ ગયા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સરપંચ ગૌતમ બારૈયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ખરાખરીના જંગમાં ફિયાસ્કો થયો છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં જે સભ્યોએ બળવો કર્યો…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More

શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા: કાગધામમાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં ‘કાગ વંદના’ યોજાઈ

મુકેશ પંડિત, કાગધામ ​કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં…

Read More

પાલિતાણાના સતુઆબાબા વિદ્યાસંકુલમાં ભવ્ય નેત્ર નિદાન શિબિર યોજાઈ: ૨૨૭ દર્દીઓની તપાસ

મુકેશ પંડિત, પાલીતાણા ​પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું…

Read More

કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.દિમાપુર જિલ્લામાં જાહેર…

Read More