રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું
– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…
[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર
ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…
દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…
ત્રાસવાદ અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં…
દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ
ગુજરાતી તખ્તાનો તેજસ્વી તારો વિલિન: પીઢ કલાકાર ભીમ વાકાણીનું નિધન
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ગુજરાતી નાટ્યજગત અને કલા જગત માટે આજે એક શોકતુર દિવસ છે. કલાકાર પરિવારની કલગીમાંથી જાણે એક અમૂલ્ય પીંછું ખરી ગયું હોય તેમ, જાણીતા અભિનેતા અને રંગમંચના જીવ ભીમ વાકાણીએ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના નિધનના સમાચારથી કલાપ્રેમીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. શિક્ષણ અને કલાનો અનોખો સમન્વય ભીમ વાકાણી મૂળભૂત રીતે વ્યવસાયે…
દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે
કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. –…
