Headlines

ભાણવડ નજીક બાવળની જાળીમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ…

Read More

ભાણવડ ખાતે સોમવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભાણવડમાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, સવારે 9 વાગ્યે થશે.        આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી…

Read More

વેલેન્ટાઈન ડે પર રિલીઝ થનારી વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચામાં : આઝાદી પછીના મુંબઈમાં ઊભરતા અન્ડરવર્લ્ડ વચ્ચે ઉભરતા ખતરનાક પ્રેમીઓની ખતરનાક કહાની: “લ-ભ-ચ”ની રોમાંચક ભરમાર

ફિલ્મોરિયમ- નારન બારૈયા“ધુરંધર”નો દબદબો હજી પણ યથાવત છે અને 23 જાન્યુઆરીથી “બોર્ડર ટુ”નું વાવાઝોડું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરે ભારદ્વાજની અગાઉની અનેક ક્લાસિક ફિલ્મો જેવી જ ઈમેજ ઊભી કરી છે અને ભારદ્વાજના ચાહકો આ ફિલ્મનો હવે…

Read More

દ્વારકા ખાતે કાયદાકીય જાણકારી અને માહિતી માટે જામનગર ઝોનની એક દિવસીય તાલીમ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬        ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશનની કચેરી, ગાંધીનગર દ્વારા જામનગર ઝોનમાં આવતા જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના તમામ સરકારી વકીલો, સરકારી તબીબો, પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટઓ, સર્કલ ઓફિસરો માટે તાજેતરમાં એક દિવસીય તાલીમનું આયોજન દ્વારકા ખાતે લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું….

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

ભાવનગર શહેર ભાજપે નીતિન નબીનજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા.

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર બિહાર સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તેમજ ભારતીય જનતા યુવા મોરચા (બી.જે.વાય.એમ) ના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ તેમજ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા નીતિન નબીનજી તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં, તે બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, ભાવનગર- બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પૂર્વ…

Read More

પોરબંદરમાં ચકચારી ખાપટ જમીન કૌભાંડમાં પકડાયેલ ૩ આરોપીના રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરહાલ પોરબંદરમાં અતી ચકચારી બનેલા કહેવાતા જમીન કૌભાંડમાં પોરબંદર પોલીસ દ્વારા ૨૦૧૩ માં થયેલા પ્રથમ લખાણ તથા ૨૦૧૭ માં થયેલા દસ્તાવેજ અન્વયે ૨૦૨૪ માં ગુન્હો દાખલ કરીને ખરીદનાર તથા સાક્ષીઓ વિગેરે કુલ-૭ (સાત) સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલો હતો કે ગુન્હાનાં કામે પોલીસ દ્વારા ૩ (ત્રણ) આરોપીઓ કે જેમાં (૧)…

Read More

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું. મહાપ્રબંધક…

Read More

પોરબંદર જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી

બાગાયતી અને રવિ પાકોની જાળવણી માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકા પોરબંદર, તા.૨૨:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૨૫-૧-૨૬ સુધીમાં પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ખાસ કરીને આંબાના પાકમાં ભૂકીછારો, કાલવ્રણ જેવી ફૂગજન્ય બીમારીઓ, મોર (ફૂલ) ખરી પડવા, પરાગનયનની ક્રિયામાં અવરોધ અને મધિયાનો ઉપદ્રવ વધવાની ભીતિ રહેલી છે….

Read More

ભાવનગરથી દિલ્હી, અયોધ્યા, સુરત, કચ્છને જોડતી ટ્રેનો શરૂ કરવા જેમ વિવેક ગુપ્તા સમક્ષ માંગણી મુકતા ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર વિવેક ગુપ્તાજી ભાવનગર પધારતા ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે ભાજપના આગેવાન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોશિએશનના જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટભાજપા અગ્રણીઓ દાણાપીઠ વેપારી એસોસિયેશનના પ્રમુખ પૂર્વ ડેપ્યુટી મેયર કે ડી શાહ, હરદેવસિંહ ગોહિલ, હિતેશભાઈ પરીખ, કૌશિકભાઇ અજવાળીયા, મહેશભાઈ પટેલ સહીત આગેવાનોનું ડેલિકેશન…

Read More