પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ
પોરબંદર.તા.૦૪: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય…
