Headlines

સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

સમાચાર તસવીર : મૂકેશ પંડિત ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.

Read More

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫       જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.  …

Read More

વલસાડના પીંડવળ ગામે લોકભારતી મહાવિદ્યાલયનો અનોખો શિબિર સંપન્ન

મૂકેશ પંડિત, પિડવડ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે…

Read More

ખંભાળિયામાં સરકારી ક્વાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: કિંમતી મુદ્દામાલની ચોરી

રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫          ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ…

Read More

ખંભાળિયાના પ્લે હાઉસમાં સન્માન સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫      ખંભાળિયામાં આવેલા ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ ખાતે તાજેતરમાં નાના ભૂલકાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી પંકજભાઈ તેમજ હેતલબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત વાલીઓના સ્નેહ મિલન અને બાળકોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોને મેડલ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા…

Read More

ડીએમકે નેતા દયા નિધિ મારનના સંસ્કૃત વિરોધી વિધાનનો વિરોધ કરતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ

સંસ્કૃત વિરોધી માનસિકતા એ ભારત વિરોધી માનસિકતા સમાન છે, કારણ કે આ ભાષા ભારતની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રગતિનું પ્રતીક રહી છે: બોર્ડ ગાંધીનગર DMK નેતા દયાનિધિ મારનના સંસ્કૃત વિરોધી નિવેદનને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન માટે સ્થાપવામાં આવેલા ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ના અધ્યક્ષ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવેલ છે. બોર્ડના…

Read More

ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા            ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું….

Read More

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો………અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન…

Read More

ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન મેન્ટેનન્સના કામને કારણે રદ

શંભુ સિંઘ, ભાવનગર ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો એક-એક દિવસ માટે સંપૂર્ણપણે રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 13,317 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રોમાં પરીક્ષા આપશે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના…

Read More