Wednesday September 10, 2025

મંગલ પરિણય: નવા રતનપર : કંટારીયા પરિવાર : ચિ. ઋત્વિક કુમાર @ ચિ શીતલ ગૌરી

નવારતનપર, તા.17 નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને […]

ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન

હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu […]

ભાવનગરમાં આંબેડકર જ્યંતી નિમિતે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુમિત ઠક્કર, ભાવનગર કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર […]

દંત આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ બદલ ભાવનગરમાં ડો હરેશ્વરી હરિયાણીનું જેસીઆઈ દ્વારા સન્માન

ભાવનગર ભાવનગર જેસીઆઈ દ્વારા ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ (ડિરેક્ટર – સિટી ડેન્ટલ અને મેક્સિલોફેશિયલ હોસ્પિટલ) નું ડેન્ટલ આરોગ્ય ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટે ના એમના વિશેષ યોગદાન માટે તેઓને જેસીઆઈ ચેરમેન ડો.બીનાબેન ખખ્ખર, બીનાબેન બારડ, મફત ભાઈ સોલંકી, રઘુભા વાઘેલા, ડો. અતુલ શાહ અને ટીમ દ્વારા આયોજિત સમારોહમાં તેણીને એવોર્ડ આપી ને વિશેષ સન્માન કરવામાં આવ્યું […]

ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ

સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજન મૂકેશ પંડિત, ભડિયાદ ભડિયાદ ગામમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથામાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ પ્રસંગ ઉજવાયો. શ્રી અંબાજી મંદિરમાં સ્વર્ગસ્થ શ્રી સુલેમાનભાઈ જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજનનો ભાવિક ગ્રામજનોને લાભ મળી રહ્યો છે. ખોજા પરિવારનાં દાતા શ્રી આલ્બર્ટ જસાણી દ્વારા સનાતન ભાવના સાથે સર્વ […]

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર બંધારણના નિર્માતા ભારત રત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ અંબેડકરની 134મી જન્મજયંતિની પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ ભીમરાવ અંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. ભાવનગર મંડલના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર રેલ્વે ડિવિઝન ઓફિસમાં 14મી એપ્રિલે રજા હોવાના […]

અંતરની આંખે @ લાભુભાઈ સોનાણી > ટૂંકી વાર્તા > ઘોડાની માયાજાળ

લેખક: લાભુભાઈ સોનાણી “ઝગમગ”જનરલ સેક્રેટરીકે. કે. બ્લાઈન્ડ સ્કૂલ ભાવનગર ટૂંકી વાર્તાઘોડાની માયાજાળ એક રાજા હતો તે ખૂબ દયાળુ હતો. તેની પાસે એક સુંદર મજાનો ઘોડો હતો. રાજાને તેની વિના એક મિનીટ પણ ચાલતું ન હતુ. એક દિવસ ઘોડો ખૂબ માંદો પડી ગયો. રાજાનું બધું જ કામ અટકી ગયુ. રાજાએ દેશવિદેશના હકીમો બોલાવ્યા, કોઈની કારી ફાવી […]

ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક યોજાઇ

. પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી તેમજ અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હરેશ પરમાર, અમદાવાદ તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ અનુ. જાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલસિંહ આર્યજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય (કમલમ) ખાતે ‘ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન’ અંતર્ગત ગુજરાતના […]

તળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ

હરેશ જોષી, તળાજા આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વરસથી એક પણ દિવસ ચુક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવ કથાકાર ભરદ્વાજબાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાશ્રી ની સખાવતથી મહિનામાં 4 વાર બાળકો ને રમકડાં આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે. […]

Back to Top