ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…
