2026
ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં પદયાત્રા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૨ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુમારભાઈ શાહ…
ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬ ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…
ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…
કુતિયાણા પોલીસની સરાહનીય કામગીરી: ખેડૂતના ખાતામાંથી ફ્રોડ થયેલા ₹1.80 લાખ પરત અપાવ્યા
પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં…
ઓખા અને પોરબંદરની ચાર જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી…
ભાવનગર અક્ષરવાડી ખાતે શહેરના મહાનુભાવો અને મીડિયા પરિવારનું સંમેલન યોજાયું
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૨ આગામી તા. ૨ એપ્રિલનાં રોજ BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે. ૮ વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામીશ્રી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે. અને ભાવનગર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,…
નવા રતનપરમાં જાહેરમાં ગૌમાતાનું મૃત્યુ થતાં પંચાયતે અંતિમવિધિ કરી
નવા રતનપર, 22 ફેબ્રુઆરીભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સ્મશાનો નજીક એક ગાય માતાનું મૃત્યુ થતાં આ અંગે બે દિવસ બાદ આજે સરપંચ ગૌતમ બારૈયાને જાણ થતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને આજે સ્વયંસેવક jcb બિઝનેસ પર્સન અને અન્ય સ્વયંસેવકોની મદદથી સ્મશાન નજીક જ તેની દફનવિધિ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે સરપંચ ગૌતમ બારૈયા માત્ર…
ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડોમેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ
વિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…
ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા છેલ્લા…
