Headlines

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫      ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ

રાજકોટરાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ કેટલાક આદેશો કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત…

Read More

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન

– ત્રણ વર્ષ માટે કુલ રૂ. 12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે – જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં નયારા એનર્જીનો સહયોગ –  કુંજન રાડિયા, ગાંધીનગર, તા. ૧૯-૦૩-૨૦૨૫        રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બે એમ.ઓ.યુ. (MOU) સાઇન…

Read More

મેરેજ એક નફાકારક બિઝનેસ: લગ્ન કરો / કરાવો અને દિવસોની ગણતરીમાં કરોડપતિ બનો : સૌ પ્રથમ જાણો લગ્ન કરવાની પ્રોફેશનલ રીત (((પહેલી ધારની વાત # નારન બારૈયા)))

પહેલી ધારની વાત : નારન બારૈયા  મેરેજ બિઝનેસ: લગ્ન કરો અને રૂપિયાવાળા બનો સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને…

Read More

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.        આ ચકચારી બનાવની વિગત…

Read More

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

ભયજનક જળાશયોમાં નહાવા તથા ભીડ કરવા પર પ્રતિબંધ

રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી…

Read More