Headlines

​પોરબંદરમાં પ્રથમ વખત ભવ્ય ભાગવત કથા સત્ર:​ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત કથા દ્વારા વૈષ્ણવો ભક્તિરસમાં તરબોળ થશે

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં પાવનકારી પુરુષોત્તમ માસ નિમિત્તે એક વિશેષ ભાગવત કથા સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જેમાં ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથા સાહિત્યવારિધિ પ્રાતઃ સ્મરણીય માધવરાયજી મહારાજશ્રીની પાવન સ્મૃતિમાં યોજાઈ રહી છે. તેમના અતિ નિકટના પરમ મિત્ર અને…

Read More

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની સંવેદનશીલ રજૂઆત બાદ પોરબંદરના માછીમારોની પેટ્રોલ સબસિડી મંજૂર

​લાંબા સમયથી બા કી રહેલી રકમ ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થતાં હજારો પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર​પોરબંદરના નાના આઉટબોર્ડ મોટર માછીમારોની છેલ્લા ચાર મહિનાથી બાકી રહેલી પેટ્રોલ સબસિડીના પ્રશ્નને લઈને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નની ગંભીરતાને સમજીને અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રાલય સમક્ષ તાત્કાલિક અને…

Read More

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયા તથા નવનિયુક્ત કાઉન્સિલર ઋષિરાજ ખેતિયાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે મહાઆરતીના શુભ અવસરે ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અહીંના…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ

– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા….

Read More

ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી

– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના…

Read More

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર -પરિમલ નથવાણી

આજે 25 મે, 2026 નિમિત્તે વિશ્વ ફૂટબોલ દિવસ વિશેષ (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫: ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ…

Read More

ખંભાળિયા નજીક ડમ્પરની ટ્રાવેલ્સ બસ સાથે ટક્કર

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬        ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવી 7273 નંબરના એક ડમ્પરના ચાલકે કોઈપણ પ્રકારના સાઈડ સિગ્નલ આપ્યા વગર કુવાડીયા ગામમાં જવાના રસ્તે પોતાનું ડમ્પર વાળતા આ માર્ગ પર આવી રહેલી એક ટ્રાવેલ્સ…

Read More

કલ્યાણપુર નજીક અનધિકૃતરીતે માટીનું ખનન ઝડપાયું: ત્રણ વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬      કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી કેટલાક શખ્સો…

Read More

કલ્યાણપુર નજીક બાઇક ચાલકને ઝોકું આવી જતા અકસ્માત: એકનું મોત

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬      રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળેલા બે મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક ચાલક યુવાનને ઝોકું આવી જતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.        આ કરુણ બનાવને વિગત એવી છે કે રાજકોટના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા ઉદયભાઈ કૈલાશભાઈ સોલંકી નામના યુવાની તેમના…

Read More

ખંભાળિયાના રઘુવંશી વેપારી અગ્રણી ડોલરભાઈ રાજાણીનો આજે જન્મદિવસ 

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા         ખંભાળિયામાં છેલ્લા ઘણા દાયકાઓથી ખાતર વ્યવસાય સાથે સંકળાયેલા અને પ્રથમ હરોળનું નામ ધરાવતા વેપારી યુવાન ડોલરકુમાર ગુલાબરાય રાજાણીનો આજરોજ તા. 24 મે ના રોજ જન્મદિવસ છે.      સાલસ અને સરળ સ્વભાવના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી વેપારી ડોલરભાઈ રાજાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય…

Read More