Sunday July 27, 2025

ભાવનગરના શિવકુંજ ધામમાં દિવ્યતાથી ઉજવાયો મહાશિવરાત્રી મહોત્સવ

ભવનાથ મહાદેવ મંદિરે ઉમટયો માનવ મહેરામણ હરેશ જોષી, ભાવનગર તા. ૨૬. ૨પુ.સંતશ્રી સીતારામ બાપૂના સાંન્નિધ્યમાં ભાવનગરની ભાગોળે આવેલ શિવકુંજ આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવ ખુબજ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો હતો.પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત સ્ફટિક મણી શિવલીંગ ની ચારેય પ્રહરની પૂજા પૂ. સીતારામ બાપુ દ્વારા ભૂદેવો સાથે વિવિધ રસ અને તીર્થે જળના અભિષેકથી કરવામાં આવી હતી.પધારેલ […]

રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ

રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.

તસવીર સમાચાર : પ્રયાગરાજ મહાકુંભ શિવલિંગ સ્થાપન

પ્રયાગરાજ મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫( તસવીર – મૂકેશ પંડિત ) સનાતન પરંપરા અને આસ્થામાં મહાદેવ શંકર સર્વોચ્ચ સ્થાને રહ્યાં છે. શિવજીનાં મહાત્મ્ય અને સમુદ્ર મંથન તથા અમૃત કુંભની કથા સાથે જોડાયેલ પ્રયાગરાજમાં મહાકુંભમેળાનું શિવરાત્રી પર્વે સમાપન થઈ રહ્યું છે. સંગમ ક્ષેત્રમાં સનાતન સાધુઓ અખાડાઓમાં રહ્યાં અને ઉપાસના સત્સંગ કરતાં રહ્યાં. કોઈ દિગંબર તો કોઈ અન્ય પરિધાન સાથે. […]

લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન

મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.

લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી

હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.

પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો

હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ […]

વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃવેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 […]

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ

શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું પુરસ્કાર વિતરણ ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૨-૨૦૨૫ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં. શાળા […]

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ

હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે. […]

સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

હરેશ જોષી, સોનપરી પાલીતાણા નજીકના સોનપરી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ વિશે બાળકોએ આ દિવસે વિશેષ જાણકારી મેળવી હતી.હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને ભાષાવિદ કુમારભાઈ ઉપાધ્યાય દ્વારા માતૃભાષાના મહત્વની ,તેની જરૂરિયાત ,ગુજરાતી ભાષાનો ઉદભવ ,માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઇતિહાસ અંગે બાળકોને તેમની સરળ ભાષામાં સમજૂતી આપી હતી .બાળકો […]

Back to Top