Headlines

લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા…

Read More

બિહારને મળશે અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલની સૌગાત

વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારતનું સંગમ બનશે બિહાર Shambhu Singh, Bhavnagar પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલને આધુનિક ભારતીય રેલ્વેની ત્રિવેણી ગણાવી છે. આ ત્રિવેણીની બે નવી ટ્રેનોનું સંચાલન બિહારથી થવાનું છે. બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય…

Read More

પોરબંદરમાં અસલ કોલ લાઇસન્સ વગરની બોટ પકડી પાડતી હાર્બર મરીન પોલીસ

ટોકન લિસ્ટમાં દર્શાવાયેલ નામો સિવાયની બે વ્યક્તિઓ સહિત ત્રણની ધરપકડ ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન પોરબંદરપોરબંદરના દરિયામાં ટોકન સાથે રાખ્યા વગર તેમજ કોલ લાઇસન્સ પણ રાખ્યા વગર અને ટોકનમાં દર્શાવેલ નામો સિવાયના લોકોને બોટમાં માછીમારી કરવા માટે રાખવા સહિતના ગુનાઓમાં પોલીસ કડક થઈને કાર્યવાહી કરી રહી છે…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ ્લાયરની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા રાજા રાયા ભોજાણી નામના શખ્સને પોલીસે રૂ. 22,800 ની કિંમતની વિદેશી દારૂની 19 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં વીંઝલપર ગામનો દેવશી ખોડા રાણંગા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. અન્ય એક કાર્યવાહીમાં અહીંની શિવ પ્રસાદ સોસાયટી વિસ્તારમાંથી ધીરુ મેરૂભાઈ બાંભવા (રહે. શક્તિ નગર) ને પોલીસે…

Read More

ભાટિયાની સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એક માત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસત્તાક પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         આ હોસ્ટેલમાં દીકરીઓને શિક્ષણ અને કેળવણીની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા શ્રેષ્ઠ પ્રયત્નો સંસ્થાના સંચાલકો દ્વારા સતત કરવામાં…

Read More

વલસાડના પીંડવળ ગામે લોકભારતી મહાવિદ્યાલયનો અનોખો શિબિર સંપન્ન

મૂકેશ પંડિત, પિડવડ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે…

Read More

રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ…

Read More

ખંભાળિયામાં પાલીકા દ્વારા સધન રાત્રી સફાઈ કામગીરી હાથ ધરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫        ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં દરરોજ સવારે થતી દૈનિક અને નિયમિત સફાઈ કામગીરી ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વધુ 25 જેટલા સફાઈ કામદારોની વધુ સેવાઓ લઈ અને રાત્રિના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા…

Read More

પોરબંદરના કેદારેશ્વર મંદિર પાસે યુવાન મહિલાનો આપઘાત

માધવ પાર્ક માં રહેતી 35 વર્ષની પરણીતાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી પોરબંદરપોરબંદરની એક 35 વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અકળ કારણોસર કેદારેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.હીનાબેન કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉ.વ. ૩૫ રહે. માધવપાર્ક રોકડીયા હનુમાન પાછળ પોરબંદર)એ…

Read More

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા દ્વારા નીલગાયનું રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને…

Read More